Homeગુર્જર નગરીસાણંદના વિરોચનનગર પાસે કાર ગટરમાં ખાબકતાં ત્રણ લોકોના મોત

સાણંદના વિરોચનનગર પાસે કાર ગટરમાં ખાબકતાં ત્રણ લોકોના મોત

Team Chabuk-Gujarat Desk: સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે દર્શન કરીને પાછા પરત ફરતી વખતે ક્રેટા કારને અકસ્માત નડ્યો છે. કાર રોડ પરથી ગટરમાં ઉતરી જતાં પરિવારના ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકોને ઈજા પહોંચી છે.

મળતી માહિતી પ્રમાણે, સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે ક્રેટા કાર ગટરમાં ખાબકી હતી. ડ્રાઈવરે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા કાર ગટરમાં ખાબકી હતી. જેમાં દેસાઈ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત થયા છે અને બે લોકોનો બચાવ થયો છે. મૃતકોના નામ કનુભાઈ કનુભાઈ રૂગનાથભાઈ દેસાઈ, વિશાલકુમાર ગણેશભાઈ દેસાઈ, દર્શનકુમાર અરજણભાઈ દેસાઈ હોવાનું જાણવા મળ્યું છે. તમામ મૃતકો ગાંધીનગરના ઝુંડાલ ગામના રબારી વાસના હોવાનું સામે આવ્યું છે.

accident

આ ઘટનાની જાણ વિરોચનનગરમાં થતા તાત્કાલિક 108 ને જાણ કરાઈ હતી. જેથી 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાણંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની વધુ તપાસ સાણંદ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશને હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments