Team Chabuk-Gujarat Desk: મહેસાણામાં ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. રણુજા દર્શને ગયેલા ખેરાલુના મલારપૂરા ગામના લોકોને અક્સ્માત નડ્યો હતો. રાજસ્થાનના બાડમેર હાઈવે પર કારનો અક્સ્માત થયો છે. અક્સ્માતમાં મલાલપુર ગામના ત્રણ યુવાનના મોત થયા છે.
સંદિપ ચોધરી,સૌરવ ચૌધરી અને વિશ્વાસ ચોધરી નામના યુવકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે. અક્સ્માત એટલો ભયાનક હતો કે કારમાં ફસાયેલ લોકોને કારના પતરા કાપી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, બન્ને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત બાદ અર્ટિગા કારમાં સવાર 5 પૈકી 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ સંદીપ ચૌધરી, સૌરભ ચૌધરી અને વિશ્વાસ ચૌધરી તરીકે થઈ છે. જ્યારે ઈજાગ્રસ હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીને ગંભીર હાલતમાં બાડમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
પ્રાથમિક તપાસમાં મૃતકો કૌટુબિંક ભાઈઓ હતા. જે પૈકી એકના લગ્ન એક મહિના અગાઉ જ થયા હતા. તમામ મૃતકોના મૃતદેહો વતન માલપુર પહોંચતા તેમના અંતિમ સંસ્કારમાં આખુ ગામ હિબકે ચડ્યું હતુ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત