Homeગુર્જર નગરીગોધરાઃ ઉજ્જૈનથી દર્શન કરી ફરત ફરી રહેલા યુવકોની કારનો અકસ્માત, ત્રણના મોત

ગોધરાઃ ઉજ્જૈનથી દર્શન કરી ફરત ફરી રહેલા યુવકોની કારનો અકસ્માત, ત્રણના મોત

Team Chabuk-Gujarat Desk: ગોધરાના ઓરવાડા પાસે કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ઉજ્જૈનથી પરત ફરતી વખતે કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. કારનું ટાયર ફાટતાં કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

મળતી માહિતી અનુસાર, ગોધરાના ઓરવાડાના નંદાપુરા બ્રિજ પરથી કાર પસાર થઇ રહી હતી. આ દરમિયાન અચાનક કારનું ટાયર ફાય્યું હતું. કારનું ટાયર ફાટતા કાર રોંગસાઇડમાં જઇને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને લઇને કારમાં સવાર 3 યુવાનોના મોત થયા જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

joi e che

ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખંભાતના 5 યુવાનો ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગોધર નજીક આ દુર્ઘટના બની હતી. યુવાનો ખંભાતના ઉંદેલ ગામના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments