Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાંથી એક કંપારી છૂટી જાય તેવો બનાવ સામે આવ્યો છે. માતાએ પોતાના બે સંતાનોની હત્યા (murder) કર્યા બાદ પોતે પણ આત્મહત્યા (suicide) કરી લીધી છે. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરનો આ બનાવ છે. જ્યાં એક સગી માતાએ પોતાના એક દીકરા અને એક દીકરીને ગળે ટુંપો દઈને હત્યા નિપજાવી અને ત્યારબાદ પોતે એસિડ પીને આત્મહત્યા કરી લીધી. પતિના ત્રાસના કારણે મહિલાએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ માલવિયાનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતી મનીષા પરમાર નામની મહિલાએ ગઈકાલે રાત્રે પોતાના દીકરા ભાર્ગવ (ઉં.વ.3) અને દીકરી ઇશિતા (ઉં.વ.6 માસ)ની હત્યા નીપજાવ્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મનીષાબેન સાગરભાઈ પરમાર (ઉં.વ.27) પતિ સાગરના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં બાળકોની હત્યા નીપજાવ્યા બાદ પોતે એક વીડિયો બનાવી પતિ સામે આક્ષેપ કરી પોતે પણ આત્મહત્યા કરતી હોવાનો વીડિયો ફેસબુક સ્ટેટ્સ પર મૂક્યો હતો. જો કે, આ સ્ટેટ્સ પાડોશીએ જોતા તેઓ, તુરંત ઘર પર દોડી ગયા હતા. જ્યાં દરવાજો તોડી જોતા મનીષાબેન લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.

બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ થતા માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બન્ને બાળકો તેમજ મનીષાબેનના મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. મનીષાબેને આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં પતિ સાગરનો ત્રાસ હોવાનું કહેતા પોલીસે સાગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ ફેસબુક સ્ટેટ્સ પર શેર કરેલા વીડિયોમાં તે જણાવી રહી છે કે, હું ખુદ મરી જાવ છું, આ પાછળ જવાબદાર મારો ઘરવાળો સાગર પરમાર છે. એ પોતે છોકરીઓ સાથે આવી રીતે મારીને હેરાન કરે છે અને પૈસા પડાવે છે. સાંઈબાબા ચોક ખાતે સરકારી દવાખાનાની ઉપર રહે છે તે જવાબદાર છે. હું મરી જાવ છું મારા બેય છોકરાવને પણ મારી નાખું છું. મારા માતા-પિતા કે અન્ય કોઈ નહીં મારો ઘરવાળો સાગર પરમાર જવાબદાર છે. હું છૂટું કરવા ગઈ હતી પણ માલવિયાનગર પોલીસે સમજાવીને જવા દીધા હતા. મારા બેય છોકરાવને મારી નાખ્યા છે, હવે હવે હું એસિડ પીને મરી જાવ છું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
