Homeગુર્જર નગરીજૂનાગઢઃ આ બીમારીથી કંટાળી યુવકે મોત વ્હાલુ કરી લીધુ

જૂનાગઢઃ આ બીમારીથી કંટાળી યુવકે મોત વ્હાલુ કરી લીધુ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં એક યુવકે બીમારીથી કંટાળીને આપઘાત કરી લીધો. શહેરના વિલિંગ્ડન ડેમમાં ઝંપલાવી યુવકે જીવન ટૂંકાવી લીધું. મળતી માહિતી મુજબ દાતાર રોડ વાણંદ સોસાયટીમાં રહેતા મેહુલ હરિભાઈ ટાટમીયા નામના 35 વર્ષીય યુવક છેલ્લા 5 વર્ષથી અસ્થમાની બીમારીથી પીડિત હતો.
તાજેતરમાં વિલીંગ્ડન રેકડી ધારકોને અજાણ્યા યુવકનો મૃતદેહ જોવા મળતા તેઓ એકઠાં થઈ ગયા હતા. તાયરબાદ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

doctor plus

બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. બીજી તરફ મૃતક યુવકની ઓળખવિધી શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, મરનાર વ્યક્તિ મેહુલ હરિભાઈ ટાટમીયા છે. યુવકની ઓળખ થયા બાદ તેના પરિવારને જાણ કરાઈ હતી. જવાનજોધ પુત્રનું મોત થયું હોવાની જાણ થતા તેના પરિવાર પર આભ તૂટ્યું હતું.

whatsapp

મળતી માહિતી મુજબ મેહુલ ટાટમીયા છેલ્લા 5 વર્ષથી અસ્થમા માતની બીમારી પીડાતો હતો અને પોતે પરણીત હતો. જૂનાગઢમાં જ વાણંદની દુકાન ધરાવતો હતો. હાલ ભવનાથ પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments