Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર: ઉમઈ નદીના પુલ પરથી ટ્રક 50 ફૂટ નીચે ખાબકી, માણાવદરના ડ્રાઈવરનું...

સુરેન્દ્રનગર: ઉમઈ નદીના પુલ પરથી ટ્રક 50 ફૂટ નીચે ખાબકી, માણાવદરના ડ્રાઈવરનું મોત

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર ટ્રકને અકસ્માત નડ્યો. જેમાં જૂનાગઢ રહેતા ચાલકનું કમકમાટીભર્યું મોત થયું છે. જ્યારે ક્લિનરને ગંભીર ઈજા પહોંચી છે. કોઠારિયા નજીક ઉમઇ નદીના પુલ પરથી રાત્રે ટ્રક પસાર થઇ રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી અને ત્યારબાદ પુલની લોખંડની ગ્રીલ તોડી 50 ફૂટ નીચે ખાબક્યો હતો.

વઢવાણ તાલુકાના કોઠારિયા નજીક પુલ પરથી રાત્રીના અંધારામાં જૂનાગઢ પાર્સિંગનો ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર એકાએક ટ્રક ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી. ગોઝારા અકસ્માતના બનાવમાં ઘટનાસ્થળે જ ટ્રકના ડ્રાઇવરનું મોત થયું હતું.

doctor plus

દુર્ઘટના અંગે જાણ થતા કોઠારિયા ગામ લોકો તેમજ વઢવાણ PSI ડી.ડી.ચુડાસમા, ASI એ.વી.દવે સહતિની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને ટ્રકના ક્લિનરને ગંભીર ઇજાઓ થતા 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.

મળતી માહિતી મુજબ મૃતક ટ્રકના ડ્રાઇવરની ઓળખ જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામના પાદરડી ગામના 47 વર્ષના ભાનજી રાણા મકવાણા તેમજ ઇજાગ્રસ્ત ક્લનિરની ઓળખ નાગાજણ ઉકાભાઇ કેસવાડા તરીકે થઈ હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments