Team Chabuk-Gujarat Desk: વડોદરાના વાઘોડિયાના રૂસ્તમપુરા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ડૂબી જતા બે સગાભાઈના મોત થયા છે. આ કરુણ ઘટના બાદ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માતાની નજર સામે જ બંને ભાઈઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે. બે ભાઈઓ માતા સાથે સીમમાં ગયા હતાં. આ સમયે પાણીની તરસ લાગતા બંને ભાઈઓ કેનાલમાં ઉતર્યા હતાં. આ સમયે એક ભાઈનો પગ લપસતા પાણીમાં ડૂબ્યો જેને બચાવવા જતા બીજો ભાઈ પણ ડૂબી ગયો હતો.
માતાએ બંને સંતાનોને બચાવવા માટે સાડીનો છેડો નાંખીને પ્રયાસ કર્યો હતો. જોકે માતાની નજર સામે જ બંને બાળકો કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા. માતાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં ઝંપલાવી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. રૂસ્તમપુરામાં બે સગાભાઈના ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વાઘોડિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત