Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના વઢવાણમાં ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતા દોડધામ મચી ગઈ છે. ભોગાવો નદીમાં ડૂબેલા ત્રણ બાળકો પૈકી બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે જ્યારે એક બાળકને આસપાસના લોકોએ બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. બાળડો ડૂબવાની જાણકારી મળતાં જ પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા અને હોસ્પિટલ પહોંચ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, વઢવાણમાં આવેલી ભોગાવો નદીમાં ત્રણ બાળકો રમવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્રણ બાળકોમાંથી બે બાળકોના મોત નિપજ્યા છે જ્યારે એક બાળકને આસપાસના લોકોએ બચાવી લીધો છે. આ બાળકને બચાવ્યા બાદ તેને સ્થાનિક લોકોએ સારવાર અર્થે ખસેડ્યો હતો. આ બાળકોની ઉંમર અંદાજે 12 થી 14 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક બાળકોના નામ વિમલ મહેશભાઈ ખાંડલા અને ઋત્વિક લાલજીભાઈ વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. બાળકોના ડૂબી જવાથી મોત થયાની જાણ થતાં જ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સગા સ્નેહીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
