Team Chabuk-National Desk: 10 એપ્રિલ ને આવતા રવિવારથી દેશભરમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ થશે. કેન્દ્ર સરકારે 18થી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જો કે આ બુસ્ટર ડોઝ ખાનગી સેન્ટરો પરથી જ લઈ શકાશે જ્યારે સરકારી સેન્ટરો પર હાલ પ્રથમ અને બીજો ડોઝ જ ફ્રીમાં આપવામાં આવશે.
આ અંગે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, કોરોના સામેની લડાઈ હવે વધુ મજબૂત થશે. 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને પ્રાઈવેટ સેન્ટર પરથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોને વેક્સિન લીધાના 9 મહિનાનો સમય વિતી ગયો હોય તે બુસ્ટર ડોઝ લઈ શકશે.
कोरोना के ख़िलाफ लड़ाई अब होगी और मज़बूत।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 8, 2022
10 अप्रैल से अब 18 वर्ष की आयु से अधिक के नागरिक प्राइवेट सेंटर से प्रिकॉशन डोज लगवा सकेंगे।
जिन नागरिकों को वैक्सीन की दूसरी डोज लगे 9 महीने हो चुके है वो इसके लिए पात्र होंगे। https://t.co/34jH2L96jl
અત્યાર સુધી દેશમાં 15+ ઉંમરના લગભગ 96% લોકોએ ઓછામાં ઓછો એક વેક્સિનનો ડોઝ લઈ લીધો છે. જ્યારે 15+ એજ ગ્રુપમાંથી 83 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ એજ ગ્રુપને 2.4 કરોડથી વધુ લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે. 12થી 14 વર્ષની ઉંમરના 45% લોકોએ પણ પહેલો ડોઝ લઈ લીધો છે.

નોંધનીય છે કે, દેશમાં 6 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. 12-14 વર્ષના બાળકોને corbevax વેક્સિન આપવામાં આવી રહી છે. આ વેક્સિન બાયોલોજિકલ ઈ લિમિટેડ કંપની બનાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
