Team Chabuk-Gujarat Desk: સિંહ અને દીપડાઓની ભૂમિ એટલે જૂનાગઢ અને ગીર સોમનાથ. જ્યાં હંમેશ વન વિભાગ તેમના રક્ષણ માટે સતર્ક રહે છે. પણ કોઈ કોઈ વખત એવો બનાવ બની જાય છે કે સિંહ કે દીપડા શિકાર કરવામાં ને કરવામાં જ કોઈ મોટી સમસ્યામાં ફસાય જાય છે. ગીરગઢડાના ઝાંઝરીયા ગામની સીમમાં પણ આવો જ એક બનાવ નોંધાયો છે.
ગીરગઢના ઝાંઝરીયા ગામની સીમમાં એક દીપડાએ ગીધનો શિકાર કરવા માટે દોટ મૂકી હતી. ગીધ તો ન પકડાયું પણ ગીધની સાથે સાથે દીપડો એંસી ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. અંતે વનવિભાગ દ્વારા ભારે જહેમત બાદ કૂવામાં ખાબકેલા દીપડાને હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો.
ઝાંઝરિયા ગામમાં રામભાઈ સામતભાઈની વાડીમાં બપોરનાં ટાણે દીપડો શિકારની શોધમાં ભટકતો ભટકતો આવી પહોંચ્યો હતો. ગીધ દેખાતા તે પકડવા માટે તેની પાછળ દોડ્યો હતો. ગીધ અને દીપડો બેઉં ઉંડા કૂવામાં ખાબક્યા હતા. રાતના દસ વાગ્યાની આસપાસ કૂવામાંથી અવાજ આવતા માલિકે તપાસ કરી હતી. અંદર ગીધ અને દીપડો જોવા મળતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગ ત્યાં આવી પહોંચ્યું હતું. ગીધ અને દીપડાને સહી સલામત કૂવામાંથી બહાર કાઢ્યા હતા અને જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત