Homeગુર્જર નગરીરસોડામાં જે જગ્યાએ મહેંદીની લાશ મૂકી હતી ત્યાં હજુ પણ હતા લોહીના...

રસોડામાં જે જગ્યાએ મહેંદીની લાશ મૂકી હતી ત્યાં હજુ પણ હતા લોહીના ડાઘ, મકાનમાંથી આવતી હતી દુર્ગંધ

Team Chabuk-Gujarat Desk: વડોદરામાં હિના પેથાણી ઉર્ફે મહેંદી હત્યા કેસમાં (mahendi murder case) બાપોદ પોલીસ સચિન દીક્ષિતની (sachin dixit) ધરપકડ કર્યા બાદ હાલ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. બાપોદ પોલીસે અમદાવાદ પોલીસ પાસેથી સચિન દીક્ષિતને કબજો મેળવ્યા બાદ તેને વડોદરા લઈ આવી છે. ગઈકાલે શુક્રવારે વડોદરા ખાતે આવેલા દર્શનમ ઓએસિસના ફ્લેટ નંબર જી-102માં તપાસ કરવામાં આવી હતી. પોલીસે સચિન દીક્ષિતને સાથે રાખીને હત્યાના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સચિન દીક્ષિતને બેડરૂમ અને રસોડામાં લઈ જવાયો હતો અને હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.

આરોપી સચિન દીક્ષિતે પોતાની પ્રેમિકા હિના પેથાણી ઉર્ફે મહેંદીની ગળું દબાવીને હત્યા નિપજાવી હતી અને મહેંદીની લાશને બેગમાં પેક કરીને ઘરના રસોડામાં મૂકી દીધી હતી. રસોડામાં જે જગ્યા પર મહેંદીની લાશને બેગમાં મૂકીને સંતાડી હતી તે સ્થળે હજુ પણ લોહીના ડાઘ જોવા મળ્યા હતા. જ્યારે ડિકમ્પોઝ લાશની દુર્ગંધ હજુ મકાનમાં ફેલાયેલી જોવા મળી હતી. પોલીસે આરોપી સચિનને હત્યા સમયે દારૂ પીધો હતો કે કેમ તે અંગે પૂછ્યું હતું. પોલીસે હત્યા ક્યાં કરી અને લાશને કેવી રીતે બેગમાં પેક કરી સંતાડી હતી તે વિશે પૂછપરછ કરી હતી.

આ બાદ આરોપીને ફ્લેટની આસપાસની દુકાનો પર લઈ ગયા હતાં. તે વારંવાર કઈ દુકાનમાં જતો હતો અને કઈ દુકાનમાંથી ખરીદી કરતો હતો તેની પૂછપરછ કરાઈ હતી. 2 કલાક ચાલેલા રિકન્સ્ટ્રક્શન બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments