Team Chabuk-Gujarat Desk: ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ લોકો ભાવનગરના વતની હોવાનું સામે આવ્યું છે. ભાવનગરની બે મહિલા સહિત ચાર પુરુષોએ ઉત્તરાખંડની જમીન પર જ અંતિમ શ્વાસ લીધા છે. ધાર્મિક યાત્રા દરમિયાન મોત મળતા તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
તમામ લોકો ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી.
અકસ્મતામાં મૃત્યુ પામેલાની યાદી
1.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા
2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર, ભાવનગર
3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા
- દક્ષા મહેતા રહે.મહુવા
5.ગણપત મહેતા રહે.મહુવા
6.કરણ ભાદરી. રહે.પાલિતાણા
7.રાજેશ મેર રહે. અલંગ
ઉત્તરાખંડમાં ગુજરાતીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકી છે. આ બસમાં કુલ 35 મુસાફરો હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનામાં 7 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે, જ્યારે 27 ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ એસપી, એસડીએમ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ અને ઉત્તરકાશીની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે છે.
અહેવાલ અનુસાર, ગંગોત્રીથી ઉત્તરકાશી બસ નં.UK 07 PA 8585 જઈ રહી હતી.

આ દરમિયાન ગંગોત્રી હાઈવે પર ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હોવાના અહેવાલો મળ્યા છે. ઘટનામાં 7 લોકોના મોત થયા છે. હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 19 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના બપોરે 3.00 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાઈ રહ્યું છે.
SDRF Rescue operation after a Bus carrying pilgrims, fell into George.
— Bhupendra Singh Negi (@BhupendraNegi08) August 21, 2023
8 Precious life list and over 27 are Injured.#BusAccident#Uttarkashi #Uttarakhand pic.twitter.com/Gj0FYCstYh
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત