Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી યોગેશ પટેલની કાર સળગાવવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂર્વ મંત્રી યોગેશ પટેલની કાર સળગાવવાના આરોપમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ સામે ગુનાની કબૂલાત કરતાં કહ્યું હતું કે, મોંઘવારી વધારી છે એટલે કારમાં આગ લગાવી હતી. આરોપીએ મોંઘવારી ઓછી નહીં કરતાં હોવાથી કારમાં આગ લગાવી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે, આરોપી ભાજપનો જ કાર્યકર્તા છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલે પોતાની કાર જ્યુબિલી બાગ પોલીસ ચોકી પાસે પાર્ક કરી હતી. બે દિવસ પહેલા અચાનક રાત્રે તેમની કારમાં આગ લાગી હતી. યોગેશ પટેલના ડ્રાઈવર ગૌરાંગ ઉર્ફે ભૂરો પટેલે આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કારમાં આગ લગાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં બાઇક પર આવેલ મોહમ્મદ હનીફ દારૂવાલા નામના શખ્સે કારમાં આગ લગાવી હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે આરોપી મોહમ્મદ હનીફ દારૂવાળાની અટકાયત કરી હતી.
આરોપી મોહમ્મદ અનિશ દારૂવાલાએ પૂર્વ મંત્રી યોગેશ પટેલની કારમાં આગ લગાવી હતી ત્યારે પોલીસ પકડમા આવેલ આરોપીએ પોતે પણ ભાજપનો કાર્યકર હોવાનું જણાવ્યું હતું. આરોપીએ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ ઓળખતો હોવાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અનિશ દારૂવાલા અગાઉ હથિયાર અને જુગારના કેસમાં ઝડપાયો હતો. મોહમ્મદ અનિશ દારૂવાલાએ પૂર્વ મંત્રીની કારમાં આગ લગાડી હતી. આરોપીએ મોંઘવારી ઓછી નહીં કરતા હોવાથી કાર સળગાવ્યાનું પોલીસને જણાવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
