Homeગુર્જર નગરીવડોદરાની સયાજી હોસ્પિટલમાં બે નિષ્ણાંત સર્જન અને ચાર વિશેષજ્ઞ તબીબોની સેવાઓ ઉપલબ્ધ,...

વડોદરાની સયાજી હોસ્પિટલમાં બે નિષ્ણાંત સર્જન અને ચાર વિશેષજ્ઞ તબીબોની સેવાઓ ઉપલબ્ધ, આ સમયે રહેશે ઉપસ્થિત

Team Chabuk-Gujarat Desk:  મધ્ય ગુજરાતની સહુથી મોટી સયાજી હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે બે નિષ્ણાંત સર્જન અને વિવિધ રોગોના ચાર વિશેષજ્ઞ તબીબોની નિદાન સેવાઓ સી.એમ.સેતુ યોજના હેઠળ ઉપલબ્ધ કરાવી છે. સામાન્ય રીતે આ ઉચ્ચ કક્ષાના તબીબોની ખાનગી દવાખાનાઓમાં સેવાઓ લેવી હોય તો મોટી ફી ચૂકવવી પડે છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકો તેનો વિનામૂલ્યે લાભ લઈ શકશે. સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે તેમની સેવાઓનો નિર્ધારિત દિવસોમાં લાભ લેવા અનુરોધ કર્યો છે.

AD

આ પૈકી સર્જરી વિભાગ હેઠળ બાળ રોગ સર્જન ડો.કશ્યપ પંડ્યા સોમ અને ગુરુવારે સવારના ૯ થી ૧૧ વાગ્યા સુધી અને ગેસ્ટરો ઇન્ટેસ્ટીનલ સર્જન ડો.જીતેન્દ્ર મિસ્ત્રી મંગળવારના રોજ બપોરના ત્રણ થી પાંચ અને શનિવારના રોજ સવારના ૯ થી ૧૧ વાગ્યા સુધી મળશે.

AD

જ્યારે મેડીસીન વિભાગ હેઠળ નેફ્રોલોજીના તજજ્ઞ ડો.ધવલ ખેતિયા મંગળ,બુધ અને શુક્રવારે સવારના ૧૧ થી બપોરના ૨ વાગ્યા સુધી, કાર્ડિયોલોજીના તજજ્ઞ ડો.પવન રોય સોમ,બુધ અને શુક્રવારે બપોરના ત્રણ થી છ વાગ્યા સુધી, ગેસ્ટરોએંટરોલોજીના તજજ્ઞ ડો.ધવલ દવે સોમ, ગુરુ અને શનિવારે બપોરના ત્રણ થી છ વાગ્યા સુધી અને ન્યુરોલોજીના તજજ્ઞ ડો.સુરોવિત ભૌમિક સોમ અને ગુરુવારે સવારના ૯ થી ૧૨ વાગ્યાના સમય દરમિયાન મળશે, તેની સૌને નોંધ લેવા જણાવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments