Homeગુર્જર નગરીવલસાડ: સેલવાસ-વાપી રોડ પર પચ્ચીસ વર્ષ જૂનું શિવ મંદિર તોડી નાખતા વિવાદ...

વલસાડ: સેલવાસ-વાપી રોડ પર પચ્ચીસ વર્ષ જૂનું શિવ મંદિર તોડી નાખતા વિવાદ ઉઠ્યો

Team Chabuk-Gujarat Desk: વલસાડના સેલવાસમાં વાઈનની દુકાનને મંજૂરી મળી રહે આ માટે 25 વર્ષ જૂના ભગવાન શંકરના મંદિરને હટાવી દેવામાં આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને આ અંગેની લેખિત રજૂઆત કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી. આ મંદિર સાયોના હોસ્પિટલ તેમજ જિતલબારની બાજુમાં આવેલું હતું. જેને તોડી પાડવામાં આવતા લોકો રોષે ભરાયા હતા.

આ અંગે સેલવાસ નગરપાલિકાના સભ્ય સુમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ મંદિરની સાથે હજ્જારો લોકોની આસ્થા જોડાયેલી છે. મંદિરમાં મહાદેવની મૂર્તિ અને શિવલિંગ હતું. મંદિરમાં તમામ ધાર્મિક વિધિ થતી હતી. જોકે મંદિરને કોઈ અસમાજીક તત્વ દ્વારા પોતાના સ્વાર્થ ખાતર સમજી-વિચારીને તોડી પાડવામાં આવ્યું છે. આ સાથે જ કોઈ વાઈનશોપ માટે મંદિરને તોડી પાડવામાં આવ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું.

આ મંદિર તૂટી જતાં સેલવાસ તેમજ મંદિરની આસપાસમાં રહેતા લોકોની લાગણીને ભારે આઘાત પહોંચ્યો હતો. હાલ તેનો વિરોધ થઈ રહ્યો છે. આ પ્રકારનું કૃત્ય કરનારની વિરૂદ્ધ પ્રશાસન દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને મંદિરનું પુન: નિર્માણ કરવામાં આવે તેવી લોકોની માગ ઉઠી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments