Team Chabuk-Gujarat Desk: ગાંધીનગર-મુંબઈ વચ્ચે હાલમાં જ શરુ થયેલી ટ્રેન વંદે ભારતને અકસ્માત નડ્યો છે. સવારે 11 વાગ્યે મણિનગર સ્ટેશન નજીક અકસ્માત નડ્યો હતો. રેલવે ટ્રેક પર ભેંસ આવી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.
આ અકસ્માતના પગલે ટ્રેનનો આગળનો કેટલોક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો છે. જોકે ટ્રેનની સિસ્ટમને કોઈ નુકસાન થયું ન હતું. માત્ર કેટલોક હિસ્સો ક્ષતિગ્રસ્ત થતા ટ્રેનની સર્વિસ બંધ કરવામાં આવી નથી. થોડી જ ક્ષણોમાં ટ્રેન ફરી દોડતી થઈ હતી. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર જ આ ટ્રેનને લીલી ઝંડી આપીને વડાપ્રધાન મોદીએ અમદાવાદ સુધી સવારી કરી હતી.
વંદે ભારત સેમી હાઇ સ્પીડ પ્રીમિયમ ટ્રેનને આજે અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના એન્જિનનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો. એક તરફનો સમગ્ર હિસ્સો ભાગી હતો. જોકે એન્જિનના આગળના હિસ્સાને રિપેર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ટ્રેનને આગળ રવાના કરાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવાય છે. લીલીઝંડી બતાવ્યા બાદ તેમણે ગાંધીનગરથી કાલુપુર સુધી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
