Homeગુર્જર નગરીજન્માષ્ટમીના તહેવારમાં આટલા દિવસ બંધ રહેશે વિરપુરનું જલારામ મંદિર

જન્માષ્ટમીના તહેવારમાં આટલા દિવસ બંધ રહેશે વિરપુરનું જલારામ મંદિર

Team Chabuk-Gujarat Desk: જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જન્માષ્ટમીના તહેવારમાં રજાઓના કારણે લોકો ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો પર ઉમટી પડતાં હોય છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે જાહેર જગ્યાઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠાં ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના વિરપુરમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ બાપાનું મંદિર જન્માષ્ટમીના તહેવારમાં બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે જન્માષ્ટમીના તહેવારમાં ભીડ ભેગી ન થાય તે માટે આગમચેતીના ભાગરૂપે વિરપુરનું જલારામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે હજુ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો છે. તેવામાં જન્માષ્ટમીના તહેવારમાં મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય અને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય તે માટે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિરપુર ખાતે આવેલું જલારામ મંદિર 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એટલે કે 6 દિવસ બંધ રહેશે. આ દરમિયાન સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે. 30 ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી છે. 

જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ છ દિવસ મંદિર અને અન્ન ક્ષેત્ર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તો 2 સપ્ટેમ્બરથી મંદિર ભક્તો માટે રાબેતા મુજબ ખુલશે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments