Homeગુર્જર નગરીસુરત: અનૈતિક સંબંધમાં મામી ગર્ભવતી બની જતાં ભાણેજે યમધામ પહોંચાડી દીધી, બિહારથી...

સુરત: અનૈતિક સંબંધમાં મામી ગર્ભવતી બની જતાં ભાણેજે યમધામ પહોંચાડી દીધી, બિહારથી થઈ આરોપીની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: 22 માર્ચ ગુરુવારના રોજ સુરતના ઉધના રેલ્વે યાર્ડ પાસે ટ્રેક સાત અને આઠની વચ્ચે એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને મહિલાની લાશની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલા ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ આદર્યો હતો. અંતે મહિલાની હત્યા કરનારા આરોપીની બિહારથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મૃતક મહિલાને અનૈતિક સંબંધ હતા અને બંને મામી-ભાણેજ હતા.  

આરોપીને પકડવા માટે પોલીસે સુરત, નવસારી, વલસાડ અને વાપી સહિતના અલગ અલગ સ્થળોના સીસીટીવી તપાસી પરસેવો પાડ્યો હતો. એવામાં ઉધના રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા ઈસમની સાથે મહિલા દેખાઈ હતી. જેમાં તેની સાથે બાળકી પણ હતી. પોલીસે હત્યાનું પગેરું શોધવા આ દિશામાં તપાસ હાથ ધરી હતી. એવામાં બાળકી મહિધરપુરા પોલીસ મથકની હદમાં બિન વારસી હાલતમાં મળી આવી હતી. આરોપી બાળકીને એકલી મૂકી ફરાર થઇ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

DHOSA

પોલીસને બાતમી મળી હતી કે આરોપી હત્યા કરી બિહાર ભાગી ગયો છે. પોલીસની એક ટૂકડી બિહાર પહોંચી હતી અને અહીંથી આરોપી લાલકુમાર અજયકુમાર બિંદને પકડી પાડ્યો હતો. સુરતમાં પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલા તેની મામી હતી. બંને વચ્ચે અનૈતિક સંબંધ હતા. આબરુ જવાની બીકે તેણે મહિલાની હત્યા કરી હતી અને બાળકીને સુરત રેલ્વે સ્ટેશન પાસે રેઢી મૂકી બિહાર ફરાર થઈ ગયો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments