Team Chabuk-National Desk: ભારતની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવેલી 4 કફ સિરપ પર WHOએ એલર્ટ જાહેર કર્યુ્ં છે. WHOએ કહ્યું કે આ ઉત્પાદનો ધોરણોને પૂર્ણ કરતા નથી. તે સલામત નથી, ખાસ કરીને બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર સમસ્યાઓ અથવા મૃત્યુનું જોખમ છે. WHOએ કહ્યું કે ગામ્બિયામાં 66 બાળકોના કિડનીની સમસ્યાને કારણે મૃત્યુ થયા છે. આ સિરપના સેવનથી બાળકોના મોત થયા હશે. આ પ્રોડક્ટ પણ હાલમાં ફક્ત ગામ્બિયામાં જ મળી આવી છે.
WHOએ મેડિકલ પ્રોડક્ટ એલર્ટ જાહેર કર્યું છે. આ માત્ર ગામ્બિયા જેવા દેશો માટે જ નહીં, ભારત માટે પણ ખૂબ જ ગંભીર છે. જો ઘટના બાળકો સાથે સંબંધિત હોય, તો એલર્ટનો અર્થ વ્યાપક બને છે. ઘણા સવાલો છે. જેમ કે WHOનો વિગતવાર રિપોર્ટ, તે ભારતીય કંપની જ્યાં તેનું ઉત્પાદન થાય છે, શું આ સિરપ ભારતમાં પણ વેચાઈ રહી છે, શું તે ખરેખર જોખમી છે ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
