Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું છે. ચહલ અને ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. આ સિવાય ચહલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ધનશ્રી સાથેની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. જ્યારે ધનશ્રી વર્માએ તમામ ફોટા ડિલીટ કર્યા નથી. આ પછી તેમના છૂટાછેડાના સમાચારો વહેતા થયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા ચહલ અને ધનશ્રીની નજીકના એક સૂત્રએ કહ્યું કે, તેમના છૂટાછેડાના સમાચાર એકદમ સાચા છે.

સૂત્રએ જણાવ્યું હતું કે, “છૂટાછેડા અનિવાર્ય છે. જે થતાં અટકાવી શકાતા નથી અને તે જ્યારે સત્તાવાર બને છે ત્યારે તે માત્ર સમયની વાત છે. તેમના અલગ થવાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે તે બંનેએ અલગ થવાનું અને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું.”
જોકે, અત્યાર સુધી ચહલ કે ધનશ્રી તરફથી છૂટાછેડા અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. બંનેએ લગ્ન પહેલા એકબીજાને ડેટ પણ કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત