Homeદે ઘુમા કેયુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી લેશે છૂટાછેડા ? ચર્ચાએ પકડ્યું જોર

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી લેશે છૂટાછેડા ? ચર્ચાએ પકડ્યું જોર

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટર ​​યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું છે. ચહલ અને ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. આ સિવાય ચહલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ધનશ્રી સાથેની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. જ્યારે ધનશ્રી વર્માએ તમામ ફોટા ડિલીટ કર્યા નથી. આ પછી તેમના છૂટાછેડાના સમાચારો વહેતા થયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા ચહલ અને ધનશ્રીની નજીકના એક સૂત્રએ કહ્યું કે, તેમના છૂટાછેડાના સમાચાર એકદમ સાચા છે.

chahal

સૂત્રએ જણાવ્યું હતું કે, “છૂટાછેડા અનિવાર્ય છે. જે થતાં અટકાવી શકાતા નથી અને તે જ્યારે સત્તાવાર બને છે ત્યારે તે માત્ર સમયની વાત છે. તેમના અલગ થવાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે તે બંનેએ અલગ થવાનું અને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું.”

જોકે, અત્યાર સુધી ચહલ કે ધનશ્રી તરફથી છૂટાછેડા અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. બંનેએ લગ્ન પહેલા એકબીજાને ડેટ પણ કર્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments