Team Chabuk-Gujarat Desk: ગઈકાલે ઠેર ઠેર મહાશિવરાત્રીની ઉજવણી થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાશિવરાત્રિના પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે વડોદરા પહોંચ્યા હતા. ત્યારે ભૂપેન્દ્ર પટેલે જે જગ્યાએ હાજરી આપી હતી ત્યાં એક અનિચ્છનીય ઘટના બની. વડોદરાના સુરસાગર વિસ્તારમાં આવેલા સર્વેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ મહાઆરતીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટ્યા હતા.
આ મહાઆરતીમાં ભાગ લેવા માટે ડભોઈ રોડ ઉપર આવેલી 22-મહાનગર સોસાયટીમાં રહેતો 38 વર્ષિય નિશિતકુમાર રાજેન્દ્રપ્રસાદ પુરાણી પણ સહભાગી થયો હતો. પરંતુ અચાનક નિશિતને ગભરામણ થવા લાગી હતી અને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તે અચાનક ઢળી પડ્યો હતો. નિશિત ત્યાં જ બેભાન થઈ ગયો હતો. યુવકની આ સ્થિતિ જોઈને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી. પરંતુ મહાઆરતીમાં ખૂબ જ ભીડ હોવાથી 108 એમ્બ્યુલન્સ સમયસર યુવાન સુધી પહોંચી શકી નહીં અને સમયસર સારવાર ન મળવાના કારણે યુવકનું મૃત્યુ થયું.
બંદોબસ્તમાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓએ નિશિતને પોલીસની ગાડીમાં જ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલના તબીબો સારવાર શરૂ કરે તે પહેલાં જ યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ કરીને યુવકના પરિવારજનોને આ અંગેની જાણકારી આપી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાવપુર પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
