Homeગામનાં ચોરેવૈષ્ણોદેવીના દર્શને જઈ રહેલા મુસાફરોની બસ ખીણમાં ખાબકી, 10 લોકોના મોત

વૈષ્ણોદેવીના દર્શને જઈ રહેલા મુસાફરોની બસ ખીણમાં ખાબકી, 10 લોકોના મોત

Team Chabuk-National Desk: જમ્મુ-કાશ્મીરમાં આજે મંગળવાર અમંગળ સાબિત થયો છે. મુસાફરો ભરેલી બસ ઉંડી ખીણમાં પડી જતાં 10 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર બની છે. જ્યારે મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી, જેમાં મોટાભાગના મુસાફરો વૈષ્ણોદેવીના દર્શન કરવા જઈ રહ્યા હતા. તમામ મુસાફરો બિહારના રહેવાસી હતા. પંચનામા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. ત્યાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

doctor plus

પોલીસે જણાવ્યું કે, આ બસ અકસ્માત જમ્મુ જિલ્લાના કટરાથી લગભગ 15 કિમી દૂર ઝજ્જર કોટલી પાસે થયો હતો. જમ્મુના ડેપ્યુટી કમિશનર (DC) અવની લવાસાએ માહિતી આપી હતી કે, 10 લોકો માર્યા ગયા છે અને 4 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ છે. બસ અમૃતસરથી કટરા તરફ જઈ રહી હતી.

પોલીસે જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ લોકોને જીએમસી જમ્મુ લાવવામાં આવ્યા છે. અન્ય 12 લોકોને સ્થાનિક જાહેર આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના કેવી રીતે બની, તેની જાણકારી હજુ મળી નથી. હાલ મામલો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાગૃત મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બસ સફેદ અને ગુલાબી રંગની હતી જેના પર પ્રિન્સ ટ્રાવેલ્સ લખેલું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments