Homeગામનાં ચોરેBihar: લગ્નમાં જમી ઘરે પરત જતા લોકોને ટ્રકે કચડી નાખ્યા, 10 લોકોના...

Bihar: લગ્નમાં જમી ઘરે પરત જતા લોકોને ટ્રકે કચડી નાખ્યા, 10 લોકોના મોત

Team Chabuk-National Desk: બિહારમાં રવિવારે રાત્રે એક ભયાનક રોડ અકસ્માત થયો હતો. હાઇ સ્પીડમાં બેકાબૂ બનેલા ટ્રક ચાલકે અનેક લોકોને કચડી નાખ્યા હતા. ગામમાં જમીને બધા લોકો રસ્તાના કિનારેથી ટોળામાં બેસીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રકના ચાલકે તેને કચડી નાખ્યા હતા. હાજીપુરમાં આ ઘટના બની છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ દુર્ઘટનામાં લગભગ 10 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે. મૃતકોમાં બાળકો પણ સામેલ હોવાનું કહેવાય છે. બાળકો પણ તેમના સંબંધીઓ સાથે લગ્નમાં જમવા ગયા હતા. આ ઘટના વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર ગામની છે. ઘટના બાદ સ્થળ પર હાજર ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી મળતા જ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતિમા દાસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું કે લોકો કહે છે તેમ 10 થી 12 લોકોના મોત થયા છે. હવે અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ડીએમ અને એસપી પણ આવી રહ્યા છે. પ્રતિમા દાસે કહ્યું કે લોકો કહી રહ્યા છે કે ટ્રકનો ડ્રાઈવર નશામાં હતો. ઘટના બાદ તે ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments