Team Chabuk-Political Desk: : કમલમમાં વડાપ્રધાન મોદીએ આવીને હોદ્દેદારો અને કાર્યકરો સાથે ઔપચારિક વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યકરો સાથે કમલમના ચોકમાં બેસ્યા હતા. નાનાથી લઈને જુના કાર્યકરોની તબિયત અને પરિવાર અંગે માહિતી મેળવી. સમગ્ર કાર્યાલયની કામગીરીની સમીક્ષા કરી હતી. પરિવારના લોકોની જેમ વડાપ્રધાને વાત કરી હતી. આ અંગે માહિતી ડૉ અનિલ પટેલે આપી હતી. તેમણે કહ્યું કે, કાર્યકરોએ ચૂંટણી કાર્યમાં થાક ન લાગતો હોવાનું જણાવ્યું હતું. સાહિત્ય અંગે પણ વાત કરી હતી. જુના -કાર્યકરોને નામ સાથે બોલાવી તેમની વર્તમાન સ્થિતિ અંગે પૂછ્યું હતું. કાર્યાલયના સ્ટાફને ભેગો કરી વડાપ્રધાને વાત કરી હતી. કાર્યકર્તાઓના કામને લઈને અને ભોજનને લઈને પૃચ્છા કરી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ભાગદોડ વચ્ચે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હળવો અંદાજ સામે આવ્યો. જી હાં, બોટાદમાં જનસભા સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નક્કી કાર્યક્રમ અનુસાર રાજભવન પહોંચવાના હતા. પરંતુ રાજભવન પહેલાં અચાનક જ પીએમ ગાંધીનગર કમલમ કાર્યાલયે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીના અચાનક પ્રવાસથી નેતાઓમાં જરૂર કચવાટ હતો કે આખરે આ પીએમની આ ઓચિંતી મુલાકાતનું કારણ શું હશે. જોકે, પીએમ મોદીએ આ સરપ્રાઈઝ મુલાકાતમાં રાજનીતિના બદલે એક પરિવારના મોભી હોય તેવી રીતે ત્યાં હાજર તમામ કાર્યકરો અને કમલમના કર્મચારીઓ સાથે તેમના પરિવાર અંગે ચર્ચા કરી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
