Team Chabuk-Sports Desk: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં આજે બીજી સેમિ ફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG)ની વચ્ચે એડિલેડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમની શાનદાર જીત થઈ છે. ભારતની હાર થતા 130 કરોડ ભારતીયોનું દિલ તૂટી ગયું છે. હવે ફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો પાકિસ્તાન સામે થશે. T20 વર્લ્ડ કપ 2022માં ભારતની સફર પૂરી થઈ ગઈ છે. બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના બોલિંગ યુનિટે એલેક્સ હેલ્સ અને જોસ બટલરની સામે દમ તોડી દીધો અને ભારતને ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે આ ટાર્ગેટ ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધો હતો.
ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને જીત માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવર રમીને 6 વિકેટો ગુમાવીને 168 રન બનાવ્યા હતા, જેમાં કોહલી અને હાર્દિકની દમદાર ફિફ્ટી સામેલ હતી. ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લિશ ટીમને 169 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. જે ઈંગ્લેન્ડે 16 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
