Team Chabuk-Political Desk: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની પસંદગીમાં લાગી ચૂકી છે. આ દરમિયાન ભાજપે આજે ગુરૂવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી લીધી છે. આ દરમિયાન ભાજપે ઘણા યુવા ચહેરાઓને તક આપી છે તો ઘણા દિગ્ગજોની ટિકિટ પણ કપાઈ છે. પરંતુ કેટલાક એવા પણ નેતાઓ છે જે 2017ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા પરંતુ પાર્ટીએ ફરીથી તેમના પર વિશ્વાસ રાખી ટિકિટ આપી છે.
એવા નેતા જે ગત ચૂંટણી હારી ગયા છતા ટિકિટ
ભાજપે શંકર ચૌધરીને ફરીથી તક આપી છે. તેઓ થરાદ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ભૂષણ ભટ્ટને ફરીથી તક આપી છે. તેઓ જમાલપુર ખાડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે કાળુભાઈ ડાભીને ફરીથી તક આપી છે. તેઓ ધંધૂકા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે યોગેશ પટેલને ફરીથી તક આપી છે. તેઓ આણંદ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે વિપુલ પટેલને ફરીથી તક આપી છે. તેઓ સોજિત્રા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે માનસિંહ ચૌહાણને ફરીથી તક આપી છે. તેઓ બાલાસિનોર બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે કનૈયાલાલ કિશોરીને ફરીથી તક આપી છે. તેઓ દાહોદ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ભગવાનજી કરગઠિયાને ફરીથી તક આપી છે. તેઓ માંગરોળ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ગૌતમ ચૌહાણને ફરીથી તક આપી છે. તેઓ તળાજા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ભીખુભાઈ પરમારને ફરીથી તક આપી છે. તેઓ મોડાસા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ચીમન સાપરિયાને ટિકિટ આપી છે. તેઓ જામજોધપુરથી ચૂંટણી લડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
