Homeગામનાં ચોરેછત્તીસગઢમાં ખાણ ધસી જતાં 7 લોકોનાં દબાઈ જતા મોત, JCBની મદદ લેવાઈ

છત્તીસગઢમાં ખાણ ધસી જતાં 7 લોકોનાં દબાઈ જતા મોત, JCBની મદદ લેવાઈ

Team Chabuk-National Desk: છત્તીસગઢનાં બસ્તર જિલ્લાનાં જગદલપુરમાં ખાણમાં ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના થઇ છે. માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 7 મજૂરોના મોત થયા છે. તેમના શવને જે.સી.બી ની મદદથી બહાર કાઢવામાં આવ્યાં છે પરંતુ વધુ સંખ્યામાં મજૂરો દબાયેલા હોવાની આશંકાઓ જણાવવામાં આવી રહી છે. મજૂરોમાં મહિલાઓ પણ સમાવિષ્ટ છે. આ ઘટના જિલ્લાનાં માલગાવ પંચાયલનો છે. માહિતી અનુસાર કાટમાળમાં લગભગ 10થી વધુ ગ્રામીણ મજૂરો દબાઇ ગયાં છે. હાલમાં જેસીબીની મદદથી તમામને બહાર નિકાળવામાં આવી રહ્યાં છે પછી જ ચોક્કસ આંકડાઓ સામે આવશે.

છત્તીસગઢનાં બસ્તર જિલ્લામાં પીળી માટીની ખાણ ધસી જવાથી તેમાં 6 મહિલાઓ સહિત કુલ 7 લોકો દબાઇ જતાં મૃત્યુ પામ્યાં છે. જિલ્લાનાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અહીંનાં માલગાવમાં સ્થિત પીળી માટીની ખાણમાંથી માટી કાઢી રહ્યાં હતાં અને ત્યારે ઉપરનો ભાગ તેમના પર પડતાં મજૂરો તેની નીચે દબાઇ ગયાં છે. પીળી માટી એક પ્રકારે ચૂનાનાં પથ્થરો હોય છે.

તેમણે કહ્યું કે ઘટનાની જાણકારી મળ્યાં બાદ અન્ય ગ્રામીણોએ તેમને બચાવવાનાં પ્રયાસો કર્યાં અને તેની જાણકારી પોલીસને કરી. પોલીસે કહ્યું કે ઘટનાની જાણકારી મળ્યાં બાદ ઘટનાસ્થળ માટે ટીમ તરત જ રવાના થઇ અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments