Team Chabuk-National Desk: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆને ગુરૂવારના રોજ સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે વિનોદ દુઆની વિરૂદ્ધ હિમાચલ પ્રદેશમાં કરવામાં આવેલ રાજદ્રોહના કેસને બહિષ્કૃત કરી દીધો છે. વિનોદ દુઆએ એક યુટ્યુબ પ્રોગ્રામમાં પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકારની વિરૂદ્ધ કથિત રીતે કરવામાં આવેલી આપત્તીજનક ટીપ્પણીને લઈને ભાજપના એક સ્થાનિક નેતાએ કેસ ફાઈલ કર્યો હતો.
જસ્ટીસ યૂયૂ લલિત અને જસ્ટિસ વિનીત શરણની બેચે પોતાના આદેશમાં વિનોદ દુઆની વિરૂદ્ધ રાજદ્રોહ (આઈપીસીની કલમ 124A) સહિત અન્ય અપરાધો હેઠળ ફાઈલ કરવામાં આવેલા કેસને નિરસ્ત કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તમામ પત્રકાર, કેદારનાથ સિંહના નિર્ણય હેઠળ સંરક્ષિત છે.
જોકે કોર્ટે પત્રકારો પર લગાવવામાં આવેલા આરોપને સત્યાપિત કરવા માટે સમિતિના ગઠનની વિનોદ દુઆની માગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે વિનોદ દુઆની તરફથી ફાઈલ કરેલી બીજી યાચિકાને બહિષ્કૃત કરી દીધી હતી. જેમાં એફઆઈઆર ફાઈલ કરતા પહેલા પત્રકારોની વિરૂદ્ધ આરોપોને સત્યાપિત કરવા માટે એક સમિતિ બનાવવાની માગ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, દસ વર્ષથી વધારે અનુભવ ધરાવનારા પત્રકારની વિરૂદ્ધ કોઈ પ્રાથમિકી ફાઈલ ન કરવામાં આવે જ્યાર સુધી સમિતિ દ્વારા મંજૂરી ન મળે. કોર્ટે આ અંગે કહ્યું કે આ નિર્ણય વિધાયિકાના અધિકાર ક્ષેત્રમાં આવે છે.
વિનોદ દુઆની વિરૂદ્ધ એફઆઈઆર ફાઈલ કરનારા ભાજપના નેતા શ્યામનું કહેવું છે કે દુઆએ પોતાના યુટ્યુબ કાર્યક્રમ ‘ધ વિનોદ દુઆ શો’માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વોટ મેળવવા માટે ‘મોત અને આતંકી હુમલાઓ’નો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. શ્યામનું કહેવું હતું કે આ પ્રકારના આરોપથી શાંતિ અને સાંપ્રદાયિક વૈમનસ્ય પેદા થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત