Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતના કતારગામમાં રોડ શો કર્યો છે. સુરતના કતારગામમાં રોડશો પર પથ્થરમારાની ઘટના બની છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે કતારગામ વિસ્તારમાં કારમાં નીકળ્યા ત્યારે મગનનગર નજીક કાર પર પથ્થર મારો થયો હતો. પથ્થર કારના બોનેટ સહિતના ભાગ પર પડ્યાં હતાં. જો કે સદનસીબે કોઈને પથ્થર નથી લાગ્યા. જો કે ત્યારબાદ પોલીસ કાફલો અને સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં કારની આસપાસ ગોઠવાઈ ગયા હતાં.
કતારગામ વિસ્તારમાં કારમાં નીકળેલા અરવિંદ કેજરીવાલના રોડ શો પર મગનનગર નજીક ધનમોરા કોમ્પલેક્સ પાસે પથ્થર મારો થયો હતો. બે પથ્થરો કારના બોનેટ સહિતના ભાગ પર પડ્યાં હતાં.સદનસીબે કોઈને પથ્થર વાગ્યા નહોતા. જો કે ત્યારબાદ પોલીસ કાફલો અને સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં કારની આસપાસ ગોઠવાઈ ગયા હતાં.
કેજરીવાલે પથ્થરમારા પર નિવેદન આપતાં જાહેરમાં કહ્યું કે, જો આ લોકોએ કામ કર્યા હોત તો પથ્થરો ફેંકવા ન પડ્યાં હોત. ચાર દિવસ પહેલા એના નેતા કહે છે કેજરીવાલની આંખો અને પગ ભાંગી નાખીશું. અમે ક્યાં કોઈનું કંઈ બગાડ્યું છે. ક્યાં કંઈ ખોટું કામ કર્યું છે. અમે તો સ્કૂલ બનાવીશુ તો કહે આ લોકો કહે છે પગા ભાંગી નાંખીશું, અમે કહીએ છીએ હોસ્પિટલ બનાવીશુ તો આ લોકો કહે છે આંખ ફોડી નાખીશું. અમે વીજળી સસ્તી કરીશુ કહીએ છીએ એ હુમલાનું કહે છે. અમે કામ કરીએ છીએ તમે કામ કરો ને…ગાળો આપવાથી કોઈનું ભવિષ્ય બનવાનું નથી.
વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ભાજપના લુખ્ખા તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરો એવડા મોટા હતા કે, એ વાગવાથી ગંભીર ઈજાઓ પહોંચી શકી હોત. જો કે, સદનસીબે કોઈ પથ્થર વાગ્યો નથી. હું એ લોકોને કહેવા માગુ છું કે, લોકોએ નક્કી કરી લીધુ છે. તમે મોદી મોદીના નારા લગાવીને પથ્થરો ફેંકો છો. પરંતુ તેનો જવાબ જનતા ચૂંટણીમાં આપશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
