Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતના (Rishabh Pant) કાર અકસ્માતમાં એક મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો ખુદ રિષભ પંતે કર્યો છે. અકસ્માત બાદ રિષભ પંતને રુરકીના સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે પંતને જણાવ્યું હતું કે ઉંઘ આવી જવાથી કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી.
રુરકી બાદ રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં રિષભ પંતને મળવા માટે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની (ડીડીસીએ) એક ટીમ પહોંચી હતી. આ દરમિયાન રિષભ પંતે ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્માને મળીને એક નવો ખુલાસો કર્યો છે. શ્યામ શર્માએ આ અંગેની જાણકારી આપી છે.

શ્યામ શર્મા જ્યારે રિષભ પંતના ખબર-અંતર પુછવા માટે પંતને મળ્યા ત્યારે આ કાર અકસ્માત કેમ થયો તેના વિશે ખુલાસો કર્યો હતો. પંતે શ્યામ શર્માને જણાવ્યું હતું કે, રસ્તા પર ખાડો આવ્યો હતો જે ખાડો બચાવવા જતાં આ અકસ્માત થયો હતો. શ્યામ શર્માએ પણ જણાવ્યું કે, રાતનો સમય હતો અને ખાડો આવી જતાં તેને બચાવવાના ચક્કરમાં આ અકસ્માત સર્જાયો છે.
શ્યામ શર્માએ જણાવ્યું કે, રિષભ પંતને હાલ એરલિફ્ટ કરવાની જરૂર નથી. હાલ રિષભ પંતને દિલ્હી શિફ્ટ કરવામાં નહીં આવે. લિગામેન્ટની સારવાર માટે કદાચ રિષભ પંતને લંડન લઈ જવાની જરૂર પડશે તો તે અંગેનો નિર્ણય બીસીસીઆઈ લેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
