Team Chabuk-National Desk: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 7 બાળકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે 2 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, રિક્ષાનો બૂકડો બોલી ગયો.
મળતી માહિતી મુજબ બાળકો સ્કૂલેથી છૂટી ઓટોમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ચીલ્હાટી ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે સામેથી ઓટોને ટક્કર મારી હતી. જેમાં ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. દુર્ઘટનામાં 5 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે બાળકોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. આ અકસ્માતમાં ઓટો ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તેની હાલત પણ નાજુક છે.
અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર છે. માસૂમોના અચાનક મોતથી તેમના પરિવારજનો શોકમાં ગરકાવ છે. બીજી તરફ ઈજાગ્રસ્ત બે બાળકોની તબિયત પણ અત્યંત ગંભીર છે.
દુર્ઘટના અંગે છત્તીસગઢના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે કાંકેર જિલ્લાના કોરર ચિલ્હાટી ચોક પર ઓટો અને ટ્રક વચ્ચે અથડામણને કારણે થયેલા અકસ્માતમાં 5 સ્કૂલના બાળકોના અચાનક મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. 4 બાળકો ગંભીર રીતે ઘાયલ, આરોગ્ય વિભાગ દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. ભગવાન પરિવારના સભ્યોને હિંમત આપે. વહીવટીતંત્રને શક્ય તમામ મદદ માટે સૂચના આપવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત