Homeગામનાં ચોરેSikkim Avalanche: નાથુલા સરહદી વિસ્તારમાં હિમસ્ખલન, 6 પ્રવાસીઓના મોત

Sikkim Avalanche: નાથુલા સરહદી વિસ્તારમાં હિમસ્ખલન, 6 પ્રવાસીઓના મોત

Team Chabuk-National Desk: સિક્કિમના (Sikkim Avalanche) નાથુલાના સરહદી વિસ્તારમાં મંગળવારે ભારે હિમપ્રપાત થયો હતો. આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત થયા છે અને 11 ઘાયલ થયા છે. ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

બરફમાં ફસાયેલા 22 પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. રસ્તો સાફ કર્યા પછી, ફસાયેલા 350 પ્રવાસીઓ અને 80 વાહનોને બચાવવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યાની આસપાસ હિમસ્ખલન થયું હતું. ઘાયલ થયેલા 6 લોકોએ નજીકની સૈન્ય હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. જેમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે ગંગટોકની STNM હોસ્પિટલ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલમાં સિક્કિમ પોલીસ, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સિક્કિમ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments