Homeવિશેષપાવન શ્રાવણનો પ્રારંભ, ભગવાન શિવની પૂજા કરતી વખતે આ વાતનું રાખો ધ્યાન

પાવન શ્રાવણનો પ્રારંભ, ભગવાન શિવની પૂજા કરતી વખતે આ વાતનું રાખો ધ્યાન

Team Chabuk-Special Desk: 17 ઓગસ્ટથી એટલે કે આજથી પાવન શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. શ્રાવણ માસમાં સોમવારનું ખુબ મહત્વ છે. આ પવિત્ર માસમાં ચાર સોમવાર આવી રહ્યા છે. પ્રથમ સોમવાર 21 ઓગસ્ટ, બીજો સોમવાર 28 ઓગસ્ટ અને ત્યારબાદ 4 સપ્ટેમ્બરે ત્રીજો અને 11 સપ્ટેમ્બરે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હશે. મંદિરોમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. શાસ્ત્રોમાં સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ કારણથી શ્રાવણ સોમવારનું મહત્વ છે.

શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રિય છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે તેવું માનવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની દરરોજ પૂજા કરવામાં આવે છે, પરંતુ શ્રાવણના સોમવારનું વ્રત ખૂબ જ વિશેષ છે.

સોમવારનું વ્રત પરિણીત યુવતીઓ માટે ખૂબ જ વિશેષ છે. સોમવારે ઉપવાસ કરી યુવતીઓ ભગવાન શિવ અને માતા પાર્વતીને તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખ માટે પ્રાર્થના કરે છે. સાથે જ યોગ્ય જીવનસંગાથીની પણ આશા કરે છે.

The beginning of Pawan Shravan

પૂજામાં શું ધ્યાન રાખશો ?

શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી મહાદેવના શરણે જવું જોઈએ. સાથે જ ભગવાન શિવનો ગંગા જળ, શુદ્ધ જળ, દૂધ, દહીં, મધનો અભિષેક કરી શકાય. ભોલેનાથનો અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરવાથી મનમાં સકારાત્મકતા આવે છે. શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવી શકાય. ફળ અને ફૂલ પણ અર્પણ કરી શકાય.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments