Team Chabuk-National Desk: ચંદ્રયાન-3એ ચંદ્રની પાંચમી અને અંતિમ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરી લીધો છે. યાન ચંદ્રની સપાટી પર વધુ નજીક આવી ગયું છે. આ અંગે ઈસરોએ કહ્યું હતું કે,ચંદ્રયાન-3એ ચંદ્ર સુધી પહોંચવાની પોતાની પ્રક્રિયા પુરી કરી લીધી છે. હવે તે પ્રણોદન મોડ્યૂલ અને લેન્ડર મોડ્યૂલને અલગ કરવાની તૈયારી કરશે.
ઈસરોએ કહ્યું હતું કે, 17 ઓગસ્ટે એટલે કે આજે ચંદ્રયાન-3ના પ્રણોદન મોડ્યૂલથી લેન્ડર મોડ્યૂલને અલગ કરશે. મહત્વનું છે કે, ચંદ્રયાન-3 ના 14 જુલાઈના પ્રક્ષેપણ બાદ પાંચ ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. 23 ઓગસ્ટે યાન ચંદ્રની દક્ષિણી ધ્રવીય ક્ષેત્ર પર લેન્ડિંગ કરશે.

ઈસરોએ ટ્વીટ કર્યું હતું કે, આજની સફળ પ્રક્રિયા સંક્ષિપ્ત અવધિ માટે જરુરી હતી. તે અંતર્ગત ચંગ્રની 153 કિમી x 163 કિમીની કક્ષામાં ચંદ્રયાન-3 સ્થાપિત થઈ ગયું, જેનું અમને અનુમાન હતું. તેની સાથે જ ચંદ્રની સરહદમાં પ્રવેશની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. હવે પ્રણદન મોડ્યૂલ અને લેન્જર અલગ થવા માટે તૈયાર છે. હવે તેની ચંદ્રયાનની ગતિ ઘટાડવાનું કામ કરાશે અને ત્યારબાદ નિશ્ચિત સમય મુજબ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગનું આયોજન છે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 16, 2023
Today’s successful firing, needed for a short duration, has put Chandrayaan-3 into an orbit of 153 km x 163 km, as intended.
With this, the lunar bound maneuvres are completed.
It’s time for preparations as the Propulsion Module and the Lander Module… pic.twitter.com/0Iwi8GrgVR
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત