Homeગામનાં ચોરેવિકાસ દુબેનું એન્કાઊન્ટર સાચું કે ખોટું તેનો જવાબ સામે આવી ગયો છે

વિકાસ દુબેનું એન્કાઊન્ટર સાચું કે ખોટું તેનો જવાબ સામે આવી ગયો છે

Team Chabuk-National Desk : એક થા વિકાસ. ઉત્તર પ્રદેશમાં કોરોના સમયે એકાએક ત્રણ દિવસનું લોકડાઉન લાગી ગયું હતું. પોલીસ વિકાસ દુબેને લઈ જતી હતી. ગાડી ઉંધેમાથ થઈ ગઈ હતી. વિકાસે પોલીસ પાસેથી બંદૂક છીનવી લીધી અને ભાગવાની કોશિશ કરતો હતો અને એમાં જ તેનું એન્કાઊન્ટર થઈ ગયું. આ પ્રાથમિક અહેવાલ પોલીસે જણાવ્યો પછી સોશિયલ મીડિયા પર પોલીસની એન્કાઉન્ટર પ્લાનિંગ આવી છે? કરી ખૂબ થૂ થૂ થઈ હતી.

જોકે હવે નવી રિપોર્ટમાં પોલીસને ક્લીન ચીટ મળી ગઈ છે. નવા તારણમાં ન્યાયાધીશ અને ન્યાયિક તપાસની રિપોર્ટ સામે આવતા કાનપુરના વિકાસ દુબે કેસમાં હવે પોલીસને આઝાદી મળી ગઈ છે. બિકરૂ કાંડ બાદ પોલીસ અને વિકાસ દુબે ગેંગ વચ્ચે હાથાપાઈ થઈ હતી. જેમાં ચાર બદમાશ ઠાર થઈ ગયા હતા. એ મારામારીમાં વિકાસ દૂબે એન્કાઊન્ટર પણ સામેલ હતું. એ જ કેસને લઈને જિલ્લા અધિકારીના આદેશ પર મેજિસ્ટ્રેટ અને ન્યાયિક તપાસ બેસાડવામાં આવી હતી. તપાસમાં એન્કાઊન્ટરને સાચું ઠેરવવામાં આવ્યું હતું. પોલીસને આ કેસમાં ક્લીન ચીટ મળી ગઈ અને ત્રણે એન્કાઉન્ટરની રિપોર્ટ જિલ્લા અધિકારીને સોંપી દેવામાં આવી હતી.

જિલ્લા અધિકારીએ કહ્યું કે – વિકાસ દુબે અને પ્રભાત મિશ્રા એન્કાઊન્ટરની ન્યાયિક તપાસ થઈ. ત્યાં જ પ્રેમ કુમાર અને અતુલ દુબે એન્કાઉન્ટરની મેજીસ્ટ્રેટ તપાસ કરાવવામાં આવી. તપાસમાં તમામ એન્કાઊન્ટર યોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. તમામ પોલીસકર્મીઓને ક્લીનચીટ આપી દેવામાં આવી.

પોલીસકર્મીઓની કરી નાખી હતી હત્યા

એસટીએફ અને ઉત્તર પ્રદેશ પોલીસ વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર કારમાં લાવી રહી હતી. પોલીસ તરફથી નોંધવવામાં આવેલી FIRમાં કહેવામાં આવ્યું હતું કે, સચેડી પોલીસ સ્ટેશન ક્ષેત્રના કેટલાક પશુઓના અચાનક રોડ પર આવી જવાના કારણે પોલીસની ગાડી પલટી ગઈ હતી. કાર પલટી જતા વિકાસ દુબે ઈન્સપેક્ટર રમાકાંત ચૌધરીની પિસ્તોલ આંચકી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. પોલીસે જ્યારે તેને આંતરવાનો પ્રયત્ન કર્યો તો તેણે ભાગવાની કોશિશ કરી અને ફાયરિંગ કર્યું. તેની ફાયરિંગનો જવાબ આપવા માટે ક્રોસ ફાયરિંગ કરવામાં આવી જેમાં વિકાસ દૂબે ઢેર થઈ ગયો.

કોણ છે વિકાસ દુબે ?

કાનપુરનું ગામ બિકરુ છે. અહીં 2 જુલાઈ 2020ના રોજ પોલીસ વિકાસ દુબેના ઘરે પહોંચી હતી. વિકાસે પોતાના સાથીઓ સાથે પોલીસ પર હુમલો કરી દીધો. વિકાસની ગેંગે ડીએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરી નાખી. બિકરુ કાંડ પછી વિકાસ ફરાર થઈ ગયો. પોલીસે તેના તમામ સાથીઓની ધરપકડ કરી, પણ વિકાસની ખબર ન મળી. આખરે 9 જુલાઈના રોજ તેની ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી. મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ પરત લાવતી વખતે 10 જુલાઈના રોજ સવારે કાનપુરથી થોડે દૂર સચેડી પાસે તેનું એન્કાઊન્ટર કરવામાં આવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments