Team Chabuk- National Desk: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ પુરસ્કારની જાહેરાત કરી હતી. સોમવારે દેશના સર્વોચ્ય નાગરિક સન્માન એવા પદ્મ પુરસ્કાર મેળવનારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ અલગ અલગ ત્રણ સન્માન મેળવનાર હસ્તીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્રણેય કેટેગરીમાં કૂલ 119 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
119 લોકોને પદ્મ પુરસ્કાર અપાયા છે તેમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને 102 લોકોને પદ્મ શ્રી પુરસ્કાર માટે પસંદ કરાયા છે.
પદ્મ વિભૂષણથી સન્માનિત થનાર હસ્તી
જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને લોકસેવા માટે પદ્મ વિભૂષણ સન્માન અપાયું છે. આ ઉપરાંત ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ (મરણોપરાંત), કર્ણાટકના ડૉ. બેલ્લે મોનપ્પા હેગડે, અમેરિકાના નારિંદર સિંહ કપાની, દિલ્હીના મૌલાના વહીદુદ્દીન ખાન, દિલ્હીના બીબી લાલ અને ઓરિસ્સાના સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન સાહૂને પદ્મ વિભૂષણ સન્માન અપાયું છે.
Former Prime Minister of Japan Shinzo Abe, Singer S P Balasubramaniam (posthumously), Sand artist Sudarshan Sahoo, Archaeologist BB Lal awarded Padma Vibhushan. pic.twitter.com/ODnDEGOJbi
— ANI (@ANI) January 25, 2021
આ 10 લોકોને પદ્મ ભૂષણ
પદ્મ ભૂષણ મેળવનાર હસ્તીઓમાં કૃષ્ણન નાયર શાંતકુમારી, તરુણ ગોગોઈ (મરણોપરાંત), ચંદ્રશેખર કંબરા, લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજન, નૃપેન્દ્ર મિશ્ર, રામ વિલાસ પાસવાન (મરણોપરાંત), કેશુભાઈ પટેલ (મરણોપરાંત), કલ્બે સાદિક (મરણોપરાંત), રજનીકાંત દેવીદાસ શ્રોફ, તરલોચન સિંહનો સમાવેશ થાય છે.
Former Lok Sabha Speaker Sumitra Mahajan, former Principal Secretary to PM Nripendra Misra, former Union Minister Ram Vilas Paswan (posthumous), former Assam CM Tarun Gogoi (posthumous) & religious leader Kalbe Sadiq (posthumous) are among 10 recipient of Padma Bhushan award. pic.twitter.com/O7pQSd8zqd
— ANI (@ANI) January 25, 2021
ગુજરાતની આ હસ્તીઓને પદ્મ પુરસ્કાર
7 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારનું સૌભાગ્ય સાંપડ્યું છે. જેમાં બે લોકોને પદ્મ ભૂષણ અને 5ને પદ્મ શ્રી સન્માન મળ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને (મરણોપરાંત) પદ્મ ભૂષણથી સન્માન મળ્યું છે. ગત ઓક્ટોબર માસમાં જ કેશુભાઈ પટેલનું નિધન થયું હતું. ગુજરાતના કચ્છમાં જન્મેલા અને યુપીએલના ફાઉન્ડર રજનિકાંત શ્રોફને પણ પદ્મ ભૂષણ સન્માન મળ્યું છે. આ ઉપરાંત ગુજરાતની પાંચ હસ્તીઓને પદ્મ શ્રી સન્માન મળ્યું છે જેમાં, ચંદ્રકાંત મહેતા, દાદુદાન ગઢવી, મહેશ કનોડીયા અને નરેશ કનોડીયા (સંયુક્ત- મરણોપરાંત), જસવંતીબેન પોપટ, ફાધર વાલેસ (મરણોપરાંત)નો સમાવેશ થાય છે.
Former Governor of Goa Mridula Sinha, British film director Peter Brook, Father Vallés (posthumous), Professor Chaman Lal Sapru (posthumous) are among 102 recipients of Padma Shri award. pic.twitter.com/oMoHg3DXcc
— ANI (@ANI) January 25, 2021
102 પદ્મ શ્રી પુરસ્કાર મેળવનારમાં ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિંહા, બ્રિટિશ ફિલ્મ ડાયરેક્ટ પીટર બ્રુક, પ્રોફેસર ચમન લાલ સપ્રુ (મરણોપરાંત)ના નામ સામેલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત