ગોવાબાપાઃ ચાબુક આવતીકાલે પ્રજાસત્તાક દિવસ છે એના કરતાં આવતીકાલે ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કરવાના છે એની ચર્ચા દેશભરમાં વધુ થઈ રહી છે. કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કરવાની પરવાનગી મળી ગઈ છે. અને આજે ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ ટ્રેક્ટર લઈને પરેડનું રિહર્સલ પણ કર્યું. હવે કાલે આ બધા ટ્રેક્ટર દિલ્હીના રસ્તાઓ પર દોડશે ચાબુક. ખેડૂતોની આ પરેડ એક પ્રકારનું સરકાર સામેનું શક્તિ પ્રદર્શન જ છે.
ચાબુક મને તો જાણવા મળ્યું છે કે અમુક લોકોએ તો પરેડ માટે નવા નક્કોર ટ્રેક્ટર ખરીદ્યા છે.
ટ્રેક્ટર માર્ચ માટેના નિયમો
ખેડૂતો તો તમામ વાહનો સજાવીને ટ્રેક્ટર પરેડ માટે તૈયાર છે પરંતુ સરકાર અને દિલ્હી પોલીસે વાતાવરણ બગડે નહીં એના માટે અમુક બંધનો રાખ્યા છે. દિલ્હી પોલીસે 37 શરતો સાથેની એનઓસી આપી છે. જેમાં કહેવાયું છે કે ખેડૂતો નક્કી કરેલા રૂટ પરથી જ ટ્રેક્ટર લઈને નીકળી શકશે. આ દરમિયાન ભડકાઉ ભાષણ નહીં આપી શકાય અને હથિયાર પણ નહીં રાખી શકાય. ટ્રેક્ટર પરેડ માટે બપોરના 12 થી સાંજના 5 વાગ્યા સુધીનો જ સમય આપવામાં આવ્યો છે. પોલીસે કહ્યું છે કે જો નિયમો તોડવામાં આવશે તો કાર્યવાહી થશે જ.
કોણ કરશે ટ્રેક્ટર પરેડની આગેવાની
હજારો ટ્રેક્ટરો સાથેની પરેડ દિલ્હીના રસ્તાઓ પર નીકળશે ત્યારે માહોલ તો જોવા જેવો હશે જ હો ચાબુક. કેમ કે આવી ટ્રેક્ટર પરેડ દેશની જનતાએ ક્યારેય નહીં જોઈ હોય. પણ તને ખબર ચાબુક આ ટ્રેક્ટર પરેડનો સેનાપતિ કોણ છે.
ના ગોવા બાપા.
આજે સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં ટ્રેક્ટર પરેડની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. ખોડૂતોના જણાવ્યા અનુસાર કુલ 9 જગ્યાએથી દોઢ લાખ ટ્રેક્ટર દિલ્હીમાં પ્રવેશ કરશે અને આ ટ્રેક્ટર પરેડની આગેવાની ગુરુનામ સિંહ ચઢૂની કરશે.
कल 9 जगह से किसान गणतंत्र परेड निकलेगा। सिंघु बॉर्डर, टिकरी बॉर्डर, गाज़ीपुर बॉर्डर, धंसा बॉर्डर, चिल्ला बॉर्डर इसके अलावा 4 और बॉर्डर है जो कि हरियाणा बॉर्डर पर होगा। कल शाहजहांपुर से गणतंत्र परेड निकलेगा और यहां से 20-25 राज्यों की झांकियां निकलेगी: योगेंद्र यादव,स्वराज इंडिया pic.twitter.com/dQ0J2A9bf3
— ANI_HindiNews (@AHindinews) January 25, 2021
શાંતિની અપીલ
આટલી મોટી ટ્રેક્ટર પરેડ થવા જઈ રહી છે ત્યારે ન કરે નારાયણને કોઈ અઘટિત ઘટના ઘટી જાય તો ? આવું ન થાય એટલા માટે ખેડૂત સંગઠનના આગેવાનો આંદોલનકારી ખેડૂતોને શાંતિ માટેની અપીલ અત્યારથી જ કરી રહ્યા છે. યોગેન્દ્ર યાદવે ટ્વિટ કરીને લખ્યું કે, ‘આપણે દિલ્હી જીતવા નથી જઈ રહ્યા, આપણે દેશની જનતાના દિલ જીતવા જઈ રહ્યા છીએ’. સંયુક્ત કિસાન મોર્ચાએ એક પત્રિકા બહાર પાડી છે તેમાં પણ કહેવામાં આવ્યું છે કે, આપણે આ પરેડના માધ્યમથી દેશ અને દુનિયાને આપણું દુઃખ દર્દ દર્શાવવાનું છે. પત્રિકાના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે પરેડ દરમિયાન કોઈ સાથે હથિયાર ન રાખે અને ભડકાઉ અથવા નેગેટિવ સૂત્ર લખેલા બેનર પણ ન લગાવે.
हम दिल्ली को जीतने नहीं जा रहे हैं,
— Yogendra Yadav (@_YogendraYadav) January 25, 2021
हम देश की जनता का दिल जीतने जा रहे हैं।
संयुक्त किसान मोर्चा ने सर्वसम्मति से परेड के लिए यह हिदायतें बनाई है। इसे ज्यादा से ज्यादा साथियों के साथ शेयर करें।#26JanDelhiTractorParade #FarmersProtest pic.twitter.com/Y2lKla2h2k
ખેડૂતોનું નવું એલાન
પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડ બાદ ખેડૂતોએ સરકારનો વિરોધ કરવા માટે નવી જાહેરાત કરી છે. અને હવે વારો છે સંસદનો.
કેમ ગોવાબાપા ખેડૂતો સંસદમાં ઘુસવાના છે ?
ના ચાબુક વાત એવી છે કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સંસદમાં દેશનું બજેટ રજૂ કરવાની છે અને આ દિવસે આંદોલનકારી ખેડૂતોએ સંસદ માર્ચ કાઢવાની જાહેરાત કરી દીધી છે.
ગોવા બાપા આ તો ફેબ્રુઆરીમાં માર્ચ જોવા મળશે.
हम 1 फरवरी को संसद की ओर कूच करेंगे। इस दिन कैसे कहां जाना है ये हम 28 जनवरी को तय करेंगे: दर्शन पाल, क्रांतिकारी किसान यूनियन pic.twitter.com/ua2VWh6c3h
— ANI_HindiNews (@AHindinews) January 25, 2021
ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો
ચાબુક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બારણે ટકોરા દઈ રહી છે. સમયગાળો ઓછો હોવાથી તમામ પક્ષો જીતના ચોગઠા ગોઠવવામાં લાગી ગયા છે. આજે રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપના આગેવાનો અલગ અલગ જગ્યાએ ચૂંટણી લડવા ઇચ્છુકોને સાંભળવા આવ્યા હતા. હવે ચાબુક રાજકોટ મનપાની 72 બેઠકો પર ભાજપમાંથી 784 જેટલા દાવેદારોએ પક્ષ સમક્ષ ટિકિટની ઇચ્છા વ્યક્ત કરી છે. હવે ભાજપનું મોવડી મંડળ મુંઝાયું છે કે આમાંથી કોને ટિકિટ આપવી. કેમ કે જેટલી બેઠક છે એના દસ ગણા દાવેદારો ટિકિટ માગી રહ્યા છે. હવે જોઈએ કોને ટિકિટ હાથ લાગે છે અને કોની ટિકિટ કપાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત