Team Chabuk-National Desk: આંધ્ર પ્રદેશ પોલીસે યૌન ઉત્પીડનના આરોપમાં વિશાખાપટનમ આશ્રમના પ્રશાસકની ધરપકડ કરી છે. પ્રશાસક પર આરોપ છે કે તેમણે પોતાના આશ્રમમાં એક સગીરાનું બે વર્ષથી વધારે સમય સુધી યૌન ઉત્પીડન કર્યું. 15 વર્ષીય અનાથ પીડિતાની ફરિયાદ બાદ 63 વર્ષીય સ્વામી પૂર્ણાનંદા સરસ્વતી ઉર્ફ સ્વામી પ્રેમાનંદની ધરપકડ કરવામાં આવી. આરોપ છે કે તેમણે પીડિતાને બે વર્ષથી વધારે સ્વામી જ્ઞાનાનંદ આશ્રમ વેંકોજીપલેમાં બંધક બનાવીને તેનું યૌન ઉત્પીડન કર્યું.
જણાવી દઈએ કે રાજમહેન્દ્રવરમમાં રહેતી યુવતીએ નાની ઉંમરમાં જ પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. તેમના સગા સંબંધીએઓ તેને ગરીબ બાળકો માટે બનેલા આશ્રમમાં મોકલી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સ્વામી દરરોજ રાત્રે તેને પોતાના બેડરૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરતા હતા.
ફક્ત બે ચમચી ભોજન આપવામાં આવતું
છેલ્લા એક વર્ષથી પીડિતા બેડરૂમમાં સાકળે બંધાયેલી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને ફક્ત બે ચમચી ભોજન આપવામાં આવતું હતું અને અઠવાડિયામાં ફક્ત 1 વખત નહાવા દેવામાં આવતું હતું.
પીડિતા 13 જૂને ઘરેલુ સહાયિકાઓની મદદથી આશ્રમમાંથી ભાગી નીકળી. પીડિતાએ ટ્રેનમાં બેસીને એક યાત્રી મહિલાને પોતાની આપબીતી સંભળાવી ત્યાર બાદ તેની ફરિયાદ લેખીત રીતે પોલીસને આપવામાં આવી.

સ્વામી પૂણાર્નંદના વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ
ફરિયાદ બાદ પીડિતાને બાલ કલ્યાણ સમિતિ લઈ જવામાં આવી જ્યાં તેણે એવું જણાવ્યું કે કેવી રીતે સ્વામીએ આશ્રમમાં તેનું યૌન અને શારીરિક શોષણ કર્યું. ફરિયાદ સાંભળ્યા બાદ સીડબ્લ્યૂસીના સદસ્યોએ સગીરાને દિશા પોલીસ સ્ટેશન મોકલી દીધી જ્યાં સ્વામી પૂણાર્નંદના વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પીડિતાને મેડિકલ તપાસ માટે વિજયવાડા સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી છે. બીજી તરફ પોતાના બચાવમાં આરોપી ધર્મગુરૂએ આરોપ લગાવ્યો છે કે અમુક લોકો આશ્રમની જમીન હડપવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આરોપ આજ ષડયંત્રનો ભાગ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
