Homeગામનાં ચોરેકોવિશિલ્ડ અને કોવેક્સિનની ખરીદીને મંજૂરી, જાણો ક્યાંથી ખરીદી શકાશે?

કોવિશિલ્ડ અને કોવેક્સિનની ખરીદીને મંજૂરી, જાણો ક્યાંથી ખરીદી શકાશે?

Team Chabuk-National Desk: ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ અમુક શરતો સાથે કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિનને  હોસ્પિટલ તથા ક્લિનિકમાં વેચાણ માટે મંજૂરી આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી જણાવ્યું છે કે કોવિશિલ્ડ અને કોવેક્સિનની પરમિશનને અપગ્રેડ કરવામાં આવી છે. અત્યાર સુધી માત્ર આકસ્મિક ઉપયોગ માટે મંજૂરી હતી, હવે પરમિશન અપગ્રેડ કરવાથી હવે આ વેક્સિન હોસ્પિટલો અને ક્લિનિકોમાં પણ ઉપલબ્ધ બનશે એટલે કે હવે ત્યાંથી ખરીદી કરી શકાશે. મેડિકલ સ્ટોર ઉપર હજુ મળશે નહીં. આ વેક્સિન પહેલાથી નક્કી કરવામાં આવેલી કિંમત પ્રમાણે જ મળશે. વેક્સિનેશનનો ડેટા છ મહિનામાં DCGI ને જમા કરવાનો રહેશે.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશ (CDSCO)એ હવે કોવિશિલ્ડ અને કોવેક્સિનની મંજુરીને અપગ્રેડ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ 19મી જાન્યુઆરી 2022ના રોજ પુખ્ત વય માટે અમુક શરતો સાથે નવી દવાની પરવાનગી આપવા માટે સ્ટેટસ અપગ્રેડ કરવાની ભલામણ કરી હતી.

DCGIએ કઈ શરતો પ્રમાણે મંજૂરી આપી?

  1. કંપનીએ છ માસિક ધોરણે અથવા જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે, જે વહેલું હોય તેના પર યોગ્ય વિશ્લેષણ સાથે ઉત્પાદનના વિદેશમાં ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલનો ડેટા સબમિટ કરવો પડશે.
  2. આ રસી પ્રોગ્રામેટિક સેટિંગ માટે સપ્લાય કરવામાં આવશે અને દેશની અંદર કરવામાં આવેલ તમામ રસીકરણ CoWIN પ્લેટફોર્મ પર રેકોર્ડ કરવામાં આવશે.
  3. એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન [AEFI], એડવર્સ ઈવેન્ટ ઓફ સ્પેશિયલ ઈન્ટરેસ્ટ [AESI] પર દેખરેખ રાખવામાં આવશે. 
  4. પેઢીએ છ માસિક ધોરણે યોગ્ય વિશ્લેષણ સાથે AEFI અને AESI સહિતનો સલામતી ડેટા સબમિટ કરવો પડશે અથવા NDCT નિયમો, 2019 મુજબ જે પણ વહેલું હશે તે ઉપલબ્ધ કરાવવાનું રહેશે.

નોંધનીય છે કે વૈશ્વિક કડક નિયમનકારી સત્તાધિશોમાંથી, માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) મેડિસિન્સ અને યુકેની હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ)એ અનુક્રમે ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકાને તેમની COVID-19 રસીઓ માટે ‘શરતી બજાર અધિકૃતતા’ આપી છે.

અત્રે નોંધનીય છે કે, દેશમાં રાષ્ટ્રવ્યાપી COVID-19 રસીકરણ કાર્યક્રમ 16મી જાન્યુઆરી, 2021ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. આજ સુધીમાં 160 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની ગતિને વેગ આપવા અને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments