Homeગામનાં ચોરેUttarkashi Avalanche: ઉત્તરાખંડમાં હિમસ્ખલની દુર્ઘટનામાં 10 લોકોનાં મોત, રેસ્ક્યૂ શરૂ

Uttarkashi Avalanche: ઉત્તરાખંડમાં હિમસ્ખલની દુર્ઘટનામાં 10 લોકોનાં મોત, રેસ્ક્યૂ શરૂ

Team Chabuk-National Desk: ઉત્તરાખંડના પર્વતીયમાળામાં દ્રૌપદી કા ડાંડા નામની જગ્યાએ મંગળવારે હિમસ્ખલન થયું હતું. આ દુર્ધટનામાં ત્યારે બની જ્યારે નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 28 ટ્રેનિંગ કરતા લોકો ટ્રેનિંગ માટે ગયા હતા. PTIના હવાલાથી મળેલા અહેવાલ મુજબ આ હિમસ્ખલનમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ વાયુસેના બચાવ અભિયાન ચલાવી રહી છે જે અંતર્ગત 2 ચિતા હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે, 2 લોકોનાં મોત થયા છે જ્યારે 8 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે તમામ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. બધા લોકો સલામત રીતે પાછા ફરે તેવી ભગવાનને પ્રાર્થના. અગાઉ રાજ્યના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ઉત્તરકાશીમાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના 28 તાલીમાર્થી પર્વતારોહણ માટે ગયા હતા. આ ઘટના 14,000 ફૂટની ઉંચાઈ પર બની હતી. 8 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોનું ચોક્કસ સ્થાન હજુ જાણી શકાયું નથી.

PTIના જણાવ્યા અનુસાર, નેહરુ પર્વતારોહણ સંસ્થાના આચાર્ય અમિત બિષ્ટે માહિતી આપી હતી કે, ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હિમપ્રપાતમાં 10 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ વાયુસેના બચાવ અભિયાન ચલાવી રહી છે જે અંતર્ગત 2 ચિતા હેલિકોપ્ટર તૈનાત છે અને ઘણા હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક પ્રશિક્ષક, તાલીમાર્થી અને નર્સિંગ સહાયક સાથે કુલ 42 લોકો ટ્રેનિંગ માટે ગયા હતા. જેમાં 41 લોકો હિમસ્ખલનની ચપેટમાં આવી ગયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments