Team Chabuk-Nationla Desk: નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ (બજેટ 2024) રજૂ કર્યું. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં સોના અને ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એટલે કે, હવે સોનું અને ચાંદી સસ્તું થશે. અત્યાર સુધી સોના અને ચાંદીની આયાત પર 10 ટકા કસ્ટમ ડ્યુટી લાદવામાં આવતી હતી. હવે નાણામંત્રીએ તેને ઘટાડીને 6 ટકા કરવાની જાહેરાત કરી છે. એટલે તહેવારોમાં સોના-ચાંદીની ખરીદી કરવા માગે છે કે જે પરિવારોમાં લગ્નની તૈયારી ચાલી રહી છે તેમને ફાયદો થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે સરકારે સ્ટીલ અને કોપર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. આ સિવાય લેધર અને ફૂટવેર પરની બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મોબાઈલ ફોન અને ચાર્જરની કિંમતો ઘટાડવા માટે સરકારે મોબાઈલ ફોન અને ચાર્જર પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડીને 15 ટકા કરી દીધી છે.
છેલ્લા સંપૂર્ણ બજેટમાં આ ઉદ્યોગના અન્ય ક્ષેત્રો, જેમાં સોના પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા જેવા મુદ્દાઓ સામેલ છે, તેની અવગણના કરવામાં આવી હતી. ઉદ્યોગે કહ્યું હતું કે આ નિર્ણયથી જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને ગંભીર નુકસાન થશે અને બ્લેક માર્કેટિંગને પ્રોત્સાહન મળશે. આ વખતે નાણામંત્રીએ ઉદ્યોગોને નિરાશ કર્યા નથી અને સોના અને ચાંદીની આયાત પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની તેમની માંગ પૂરી કરી છે.

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત