Homeગામનાં ચોરેCBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ધો. 10 અને 12માં નહીં મળે...

CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ધો. 10 અને 12માં નહીં મળે રેન્ક કે ડિવિઝન

Tea, Chabuk-National Desk: CBSE બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર પોસ્ટ કરવામાં આવી છે અને જણાવાયું છે કે, વર્ષ 2024માં CBSE બોર્ડની પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ડિવિઝન, રેન્ક અથવા એગ્રિગેટ માર્કસ આપવામાં આવશે નહીં. નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવા માટે શિક્ષણ જગતમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. CBSE બોર્ડના આ પગલાથી બોર્ડના છાત્રો પર પરિણામનું દબાણ ઓછું થશે અને તેઓ વધુ સારી રીતે તૈયારી કરી શકશે. CBSE બોર્ડની સંપૂર્ણ સૂચના અને કોલેજમાં પ્રવેશ માટે કઈ પ્રક્રિયાને અનુસરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન 2024માં ધોરણ 10મા અને ધોરણ 12મા ધોરણની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને સમગ્ર ડિવિઝન, ડિસ્ટ્રીક્શન અથવા એગ્રીગેટ આપશે નહીં. આ સિવાય બોર્ડે એ પણ જણાવ્યું છે કે, ધોરણ 10 અને 12માં માર્ક્સની ટકાવારી CBSE દ્વારા ગણવામાં આવશે નહીં. આ સૂચના CBSE બોર્ડના પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજે બહાર પાડી છે.

cbse

CBSE બોર્ડના નોટિફિકેશનમાં અન્ય એક મહત્વની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુજબ, જો કોઈ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં પાંચથી વધુ વિષયો રાખ્યા હોય તો શ્રેષ્ઠ 5 વિષયો નક્કી કરવાનો નિર્ણય વિદ્યાર્થીને પ્રવેશ આપતી સંસ્થા અથવા સીબીએસઈ બોર્ડ માટે વિદ્યાર્થીની ભરતી કરતી નોકરીદાતા લઈ શકે છે. CBSE બોર્ડની પણ આમાં કોઈ ભૂમિકા રહેશે નહીં.

ધોરણ 10 અને 12ની CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ 2024 વચ્ચે યોજાશે. CBSE બોર્ડના ઉમેદવારો હાલમાં ડેટશીટની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ અઠવાડિયે CBSE બોર્ડની પરીક્ષાની તારીખ 2024 જાહેર કરશે. આ માટે, સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર અપડેટ્સ જોવાનું કહેવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments