Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાનો ઓફ સ્પીનર વોશિગ્ટન સુંદર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ભારત સિરીઝની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં કાઉંટી ઈલેવન તરફથી રમતી વખતે તે ઈજાગ્રસ્ત થયો છે. મેચના બીજા દિવસે મોહમ્મદ સિરાઝના બોલ પર તેની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું. આ પ્રવાસમાં શુભમન ગિલ અને આવેશ ખાન બાદ વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થનારો ત્રીજો ખેલાડી છે.
યુવા બોલર આવેશ ખાન પણ ડરહમમાં રમાઈ રહેલી આ પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થઈને સિરીઝ બહાર થઈ ગયો છે. કાઉંટી ઈલેવન તરફથી રમતી વખતે તેને હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. BCCIના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, હાં વૉશી (વૉશિંગ્ટન)ની આંગળી પર પણ આવેશની જેમ ફ્રેક્ચર છે. આવેશના અંગૂઠાનું હાડકું પોતાની જગ્યાએથી હટી ગયું. બંને ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે અને સ્વદેશ પરત ફરશે.
Washington Sundar has a finger injury and has been ruled out of the India-England series – Avesh, Gill and now Sundar. The list’s only growing
— Vikrant Gupta (@vikrantgupta73) July 22, 2021
સૂત્રોનું માનીએ તો, તેને ફરીથી બોલિંગ ફેંકવામાં લગભગ પાંચ અઠવાડિયાનો સમય લાગી શકે છે જેથી તેનું અહીં રોકાઈ રહેવું એ કંઈ ફાયદો ન હતો. સિરાઝની શોર્ટ બોલ પર વોશિંગ્ટનની આંગળી પરની ઈજાની ગંભીરતાની જાણ તેને ત્યારે થઈ જ્યારે તેને પવેલિયનમાં ફર્યા બાદ અસહ્ય દુઃખાવો થયો. વોશિંગ્ટન અને આવેશ પહેલાં ટીમના નિયમિત સભ્યોમાં ન હતા પરંતુ નેટ બોલરમાં તે ટીમના અભિન્ન અંગ હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટમાં ડેબ્યૂ કરનારા ખેલાડીની ગમે ત્યારે પ્લેઈંગ ઈલેવનનમાં પણ જગ્યા બની શકે તેમ હતી.
ભારતીય ટીમમાં તેની જગ્યાએ સામેલ થનારા ખેલાડીના નામ ટૂંક સમયમાં જ જાહેર કરાશે. હવે એ જોવાનું રહેશે કે આવેશની જગ્યાએ નવદીપ સૈનીની પસંદગી કરાશે કે ભૂવનેશ્વર કુમારની. 24 વર્ષીય આવેશે અત્યાર સુધીમાં 26 પ્રથમ શ્રેણી મેચમાં 100 વિકેટ ઝડપી છે. કેટલાય લોકોનું માનવું હતું કે ઈંગ્લેન્ડ વિરુદ્ધની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં તેને ડેબ્યૂનો મોકો મળશે. જો કે, પ્રેક્ટિસ મેચ દરમિયાન થયેલી ઈજાએ લોકોની આ આશા પર પાણી ફેરવી દીધું છે
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત