Team Chabuk-Sports Desk: શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થતા આજની ટી ટ્વેન્ટી મેચ રદ કરી દેવામાં આવી છે અને બંને ટીમને આઈસોલેટ કરી દેવામાં આવી છે. કૃણાલના કારણે સંપર્કમાં આવેલા અન્ય આઠ ખેલાડીઓ પણ ક્વોરન્ટાઈન થઈ ગયા છે.
બીસીસીઆઈ તરફથી આ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું હતું. રેપિડ એન્ટીજન ટેસ્ટમાં કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત હોવાની પુષ્ટી મળી હતી. તેમની સાથે રહેલા અન્ય આઠ ખેલાડીઓનો રિપોર્ટ પણ નેગેટિવ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટાઈન માટે મોકલી આપવામાં આવ્યા છે.
More details here – https://t.co/dk5b0EHoHw#SLvIND https://t.co/2y3s1ve9MC
— BCCI (@BCCI) July 27, 2021
સંક્રમણને ફેલાતા રોકવા માટે અને સુરક્ષાની દૃષ્ટીએ બીજી ટી ટ્વેન્ટીને પણ એક દિવસ એટલે કે 28 જુલાઈના બુધવારના રોજ શીફ્ટ કરી દેવામાં આવી છે. જો બધું યોગ્ય રહ્યું અને કોઈ અડચણ ન આવી તો બીજી ટી ટ્વેન્ટી બુધવારના રોજ અને ત્રીજી ટી ટ્વેન્ટી ગુરૂવારના રોજ રમાશે.
મેચ એક દિવસ સ્થગિત થવાના કારણે પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવનું પણ ત્રીજી ટી ટ્વેન્ટીમાં રમવું મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે આ બંને ખેલાડીઓની ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પણ પસંદગી કરવામાં આવી છે. ભારતને ઈંગ્લેન્ડની વિરૂદ્ધ ચાર ઓગસ્ટથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. જોકે તે પહેલા શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાન ઈજાગ્રસ્ત થતા બહાર થઈ ગયા છે. જેથી તેમની જગ્યાએ બીસીસીઆઈએ પૃથ્વી અને સૂર્યકુમારની પસંદગી કરી છે.
ભારતના શ્રીલંકા પ્રવાસની જો વાત કરવામાં આવે તો. શ્રીલંકામાં ભારત વનડે સિરીઝ 2-1થી જીત્યા બાદ ટી ટ્વેન્ટીના પ્રથમ મેચમાં પણ વિજયી શરૂઆત કરી હતી. જેથી ભારતીય ટીમ 1-0થી આગળ ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત