Team Chabuk-Sports Desk: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં બોર્ડર-ગાવસ્કર સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. કોહલી અને રવિન્દ્ર જાડેજા બેટિંગ કરી રહ્યા હતા ત્યારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઋષભ પંતના નામના ચાહકોએ નારા લગાવ્યા હતા
કોહલી અને જાડેજા બેટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક અરુણ જેટલી સ્ટેડિયમમાં પંતના નામના નારા લાગ્યા હતા. તેનાથી ખબર પડે છે કે ટેસ્ટ સીરીઝ દરમિયાન માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ ક્રિકેટના ચાહકો પણ પંતને ખૂબ જ મિસ કરી રહ્યા છે.
ઋષભ પંત છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ ટીમનો નિયમિત સભ્ય રહ્યો છે અને તેણે ભારત માટે ઘણી વિનિંગ મેચ રમી છે. જ્યારે વિકેટ કીપર બેટ્સમેનના નામના નારા લગાવવામાં આવ્યા ત્યારે કોહલી તેને યાદ કરીને લગભગ 3 સેકન્ડ સુધી સતત મેદાન તરફ જોતો રહ્યો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઋષભ પંત ઉત્તરાખંડનો છે, પરંતુ તેની ક્રિકેટ કારકિર્દી દિલ્હીમાં જ શરૂ થઈ હતી. એટલે પંતને દિલ્હીનો લોકલ બોય પણ માનવામાં આવે છે. દિલ્હીના ક્રિકેટ ચાહકો તેને ઘણો સપોર્ટ કરે છે. ઋષભ પંત આઈપીએલમાં પણ દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે અને કેપ્ટન છે. પંત દિલ્હીનો સૌથી મોંઘો ખેલાડી છે. પંતને આ વખતે આઈપીએલમાં મિસ કરવામાં આવશે કારણ કે તે અકસ્માત બાદ લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર છે.
Wankhede crowd Cheering for Rishabh pant ❤️ pic.twitter.com/KHc6qb122R
— Rishabh pant fans club (@rishabpantclub) January 3, 2023
પંતનો અકસ્માત થયો હતો
ઋષભ પંતનો 30 ડિસેમ્બર 2022 ની સવારે રૂરકી એક્સપ્રેસવે પર અકસ્માત થયો હતો જ્યારે તે તેના પરિવારના સભ્યોને જાણ કર્યા વગર સરપ્રાઈઝ આપવા અને તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે તેના હોમટાઉન જઈ રહ્યો હતો. આ અકસ્માત ખૂબ જ ભયાનક હતો તેમાં પંતની કાર બળીને ખાક થઈ ગઈ હતી. પંતને પણ ઘણી ઈજા થઈ હતી. તેને શરૂઆતમાં દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. પંત હવે સ્વસ્થ છે. જોકે, તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવામાં 6 થી 8 મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત