Team Chabuk-National Desk: દિલ્હી એનસીઆરમાં ગુરૂવારની રાતે થયેલ ધોધમાર વરસાદે હવામાનનો આખો મિજાજ બદલી નાખ્યો હતો. વરસાદના કારણે શુક્રવારે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાજિયાબાદ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં તાપમાન નીચું નોંધાયું હતું. વરસાદ પડતા લોકોને બફારાના ત્રાસમાંથી મુક્તિ મળી હતી.

દિલ્હી એનસીઆર સહિત કેટલાય રાજ્યોમાં ભારતીય હવામાન વિભાગની તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં 29 સપ્ટેમ્બર સુધી વરસાદના હળવા ઝાપટા પડશે. આ સિવાય હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાન, ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત, આંધ્ર પ્રદેશમાં પણ અલગ અલગ પાંચ દિવસ સુધી ભારે વરસાદના અણસાર છે. ગુજરાતમાં 25થી 26 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ તટ વિસ્તાર આંધ્રપ્રદેશમાં 26 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગનું આ અંગે કહેવું છે કે, પૂર્વોત્તર ભારતની આસપાસના કેટલાક વિસ્તારોમાં દબાણ બની રહ્યું હોવાથી શુક્રવારના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સહિત જમ્મુમાં ભારે વરસાદ પડશે. ઉત્તર પ્રદેશ તથા મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના જોતા કેટલાક રાજ્યોમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભાદરવામાં ભરપૂર મેઘવર્ષા થઈ છે. ખાસ સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત