Team Chabuk-National Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમ્યાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે ખૂદ માન્યું કે પાકિસ્તાનની ધરતી પર કેટલાય આતંકી સંગઠન સક્રીય છે. આ આતંકીઓને ઈસ્લામાબાદમાંથી સંરક્ષણ પ્રાપ્ત છે. આ જાણકારી વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ટ્વીટ કરી જણાવી હતી. તેમણે જણાવ્યું કે, પીએમ મોદીની અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત ઘણી સફળ રહી અને આ મુલાકાતમાં આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ફરી બેનકાબ કરવામાં આવ્યું છે.

ગુરૂવારની રાતે ભારતીય પ્રધાનમંત્રીએ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. મુલાકાતની જાણકારી આપતા વિદેશ સચિવે જણાવ્યું હતું કે, કમલા હૈરિસે ખૂદ માન્યું હતું કે, તાલિબાનની મદદ કરવામાં પાકિસ્તાનનો મોટો હાથ છે. તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તેઓ ભારત અને અમેરિકાની સુરક્ષા માટે ખતરો ન બને અને પોતાને ત્યાં ઉછરી રહેલા આતંકવાદને ખત્મ કરે.
આ મુલાકાતમાં તેમણે ભારતની સીમા પારથી થઈ રહેલી આતંકી ગતિવિધિઓ પર પણ સહમતિ પ્રગટ કરી હતી અને સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન આતંકીઓની મદદ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની ઉપરાષ્ટ્રપતિની સાથે આ પ્રથમ મુલાકાત છે. આ અગાઉ બંને નેતાઓ વચ્ચે ફોન પર ચર્ચા થઈ ચૂકી છે.

આ મુલાકાતમાં પ્રધાનમંત્રીએ અમેરિકાની પ્રશંસામાં જણાવ્યું હતું કે, અમેરિકાએ એક સારું મિત્ર છે. કોરોનાકાળમાં ભારતીય પ્રવાસીઓની પણ તેમણે ખૂબ મદદ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત