Homeગામનાં ચોરેEWS અનામત પર સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી પૂર્ણ, ટૂંક સમયમાં આવશે ચૂકાદો

EWS અનામત પર સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી પૂર્ણ, ટૂંક સમયમાં આવશે ચૂકાદો

Team Chabuk-Gujarat Desk: સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) વ્યક્તિઓને 10 ટકા અનામત આપતી 103મા બંધારણ સુધારાની માન્યતાને પડકારતી અરજીઓના બેચ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે એટર્ની જનરલ કે કે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિતના વરિષ્ઠ વકીલોને સાંભળ્યા પછી EWS ક્વોટાએ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કર્યું છે કે કેમ તે અંગેના કાયદાકીય પ્રશ્ન પર ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી જે 7 દિવસ સુધી ચાલી હતી. મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 7 દિવસ સુધી તમામ પક્ષકારોની વિસ્તારથી સાંભળ્યા હતા.

જાન્યુઆરી 2019 માં, કેન્દ્ર સરકારે સંસદમાં 103મો બંધારણીય સુધારો ઠરાવ પસાર કરીને આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકો માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતની સિસ્ટમ બનાવી હતી. આને પડકારતી અરજીઓ પર બંધારણીય બેંચે 13 સપ્ટેમ્બરથી આ મામલે વિગતવાર સુનાવણી શરૂ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ લલિત ઉપરાંત, આ બંધારણીય બેંચના અન્ય ચાર સભ્યો છે – જસ્ટિસ દિનેશ મહેશ્વરી, એસ રવિન્દ્ર ભટ, બેલા એમ ત્રિવેદી અને પારડીવાલા.

5 ઓગસ્ટ 2019ના રોજ, સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણ સામે દાખલ કરેલી અરજીઓને બંધારણીય બેંચને સોંપી. આ કેસમાં એનજીઓ જનહિત અભિયાન સહિત 30થી વધુ અરજીકર્તાઓએ કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીઓમાં બંધારણની કલમ 15 અને 16માં સુધારાને પડકારવામાં આવ્યો હતો. અરજદાર પક્ષે દલીલ કરી હતી કે આરક્ષણનો હેતુ સદીઓથી સામાજિક ભેદભાવનો ભોગ બનેલા વર્ગના ઉત્થાનનો હતો. તેથી, આર્થિક આધારો પર આરક્ષણએ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. જો કોઈ વર્ગ આર્થિક રીતે નબળો હોય તો તેને અન્ય રીતે મદદ કરવી જોઈએ.

અરજદાર પક્ષ તરફથી હાજર રહેલા વકીલો કહ્યું કે જો સરકારે ગરીબીના આધારે અનામત આપવી હોય તો આ 10 ટકા આરક્ષણમાં પણ એસસી, એસટી અને ઓબીસી માટે સિસ્ટમ બનાવવી જોઈતી હતી. વકીલોએ એવી પણ દલીલ કરી હતી કે સરકારે જરૂરી ડેટા એકત્ર કર્યા વિના અનામત માટે કાયદો બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અનામતને 50 ટકા સુધી સીમિત કરવાનો નિર્ણય આપ્યો હતો, આ જોગવાઈ દ્વારા તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

શું છે સરકારની દલીલ ?

કુલ અનામતના 50 ટકાની મર્યાદા રાખવી એ બંધારણીય જોગવાઈ નથી. માત્ર સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. તમિલનાડુમાં 68 ટકા અનામત છે. જેને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપ્યો ન હતો. અનામતનો કાયદો બનાવતા પહેલા બંધારણની કલમ 15 અને 16માં જરૂરી સુધારા કરવામાં આવ્યા હતા. આર્થિક રીતે નબળા વર્ગોને સમાનતાનો દરજ્જો આપવા માટે આ વ્યવસ્થા જરૂરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments