Homeદે ઘુમા કેભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વીટ સંદેશ દ્વારા...

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વીટ સંદેશ દ્વારા આપી જાણકારી

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકિપર પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે. પાર્થિવ પટેલે તેના ઓફિસિય ટ્વીટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી છે.

પાર્થિવ પટેલે ટ્વીટર પર શોક સંદેશમાં કહ્યું કે, અત્યંત દુઃખ સાથે જાણ કરુ છુ કે મારા પિતાશ્રી અજયભાઈ બિપિનચંદ્ર પટેલનું નિધન થયું છે. 26 સપ્ટેમ્બર 2021એ તેમનો સ્વર્ગવાસ થયો છે. તેઓ અમને જિંદગીભરના સંભારણા આપીને ગયા છે. અમે તમને વિનંતી કરીએ છીએ તે તેમના માટે પ્રાર્થના કરો. તેમના આત્માની શાંતિ મળે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી પાર્થિવ પટેલના પિતા અજયભાઈ પથારીવશ હતા. તેઓ છેલ્લા કેટલાય સમયથી કોમામા હોવાના કારણે હલનચલન પણ નહતા કરી શકતા.

2019માં પાર્થિવ પટેલ જ્યારે રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમમાં હતો તે સમયે તેનાં પિતાની તબિયત ખરાબ થઇ હતી. ત્યારબાદ જાણ થઈ હતી કે, પાર્થિવ પટેલના પિતાને સમયે તેનાં પિતા બ્રેઇન હેમરેજ થયું છે. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં હતા અને 10 દિવસ સુધી સારવાર હેઠળ હતા. થોડા સમયથી ફરી તેમની તબિયત લથડી હતી અને આખરે જીવન સામે જંગ હારી ગયા છે. પાર્થિવના ફેન્સ અને તેમના કુટુંબીજનો પાર્થિવ અને તેમના પરિવારને સાંત્વના આપી રહ્યા છે.

rps baby world

અમદાવાદમાં જન્મેલા પાર્થિવ પટેલે 2002માં ન્યુઝીલેન્ડ સામે વન ડે અને ઇંગ્લેંડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. તેણે પોતાની કારકીર્દિમાં કુલ 25 ટેસ્ટ મેચ રમી છે જેમાં કુલ 6 અર્ધશતક સાથે કુલ 934 રન નોધાવ્યા છે. આ ઉપરાંત 38 વન ડે મેચમાં ત તેણે કુલ 4 અર્ધશતક સાથે 736 રન નોધાવ્યા છે. જ્યારે 2 ટી-20 મેચમાં 36 રન ફટકાર્યા છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પાર્થિવ પટેલ હાલ કોમેન્ટ્રેટરની ભૂમિકામાં ભજવી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments