છેલ્લા 11 દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદાને પરત લેવા ખેડૂતો ડેરા જમાવીને દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. જેમ દિવસ વિતી રહ્યા છે તેમ આંદોલન નરમ પડવાની જગ્યાએ શક્તિશાળી બની રહ્યું છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો બાદ અન્ય રાજ્યના ખેડૂતો પણ આંદોલનમાં પહોંચી રહ્યા છે અથવા તો આંદોલનને સમર્થન જાહેર કરી રહ્યા છે. બીજી તરફ સરકાર કાયદો પરત લેવા ટસની મસ નથી થઈ રહી તો ખેડૂતો પણ હાર માનવા તૈયાર નથી.
આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચ વખત ફેસ ટુ ફેસ બેઠક થઈ પરંતુ કોઈ ઢીલ મૂકવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે ફરી 9 ડિસેમ્બરે બેઠક યોજાશે. આંદોલન કરી રહેલા ખેડૂતોના તેવર જોતાં લાગી રહ્યું છે કે, જો સરકાર ઝુકશે નહીં તો લડાઈ લાંબી ચાલશે.
આંદોલન ચલાવી રહેલા કિસાન સંયુક્ત મોરચાના પ્રમુખ રામપાલ સિંહે કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર ડરેલી છે. તે ખેડૂતોની વાત માની ચૂકી છે પરંતુ જાણીજોઈને મુદ્દાને લટકાવી રહી છે. સરકાર વિચારી રહી છે કે કદાચ વૃદ્ધો અને બાળકો ડરીને ઘેર ચાલ્યા જશે. પરંતુ તેઓએ અમારો ઇતિહાસ નથી વાંચ્યો. અમારી પીછેહટનો કોઈ સવાલ જ નથી ઉભો થતો’ ખેડૂત આગેવાન રામપાલ સિંહના નિવેદન પછી લાગી રહ્યું છે કે ખેડૂતો કાયદો રદ કરાવ્યા સિવાય માનવા તૈયાર નથી.
केंद्र की सरकार घबराहट में है, वो किसानों के मुद्दे मान चुकी है और जानबूझकर लटका रही है। सरकार सोचती है कि शायद बूढ़े-बच्चे घबरा कर घर चले जाएंगे, इन्होंने हमार इतिहास नहीं पढ़ा है। हमारे पीछे हटने का सवाल ही पैदा नहीं होता है: किसान संयुक्त मोर्चा के प्रधान रामपाल सिंह pic.twitter.com/FGqb6b1znI
— ANI_HindiNews (@AHindinews) December 6, 2020
પંજાબના સભરાના કિસાન મજદૂર સંઘર્ષ કમિટીના સુખવિંદર સિંહે કહ્યું કે, ‘દેશભરના ખેડૂતો એક સાથે છે અને ખેડૂતોએ અંદરોઅંદર તાલમેલ કરી લીધો છે. 13 રાજ્યનું સમર્થન આવી ચુક્યું છે. સરકારે ઝડપથી નિરાકરણ લાવવું પડશે. જો ઝડપથી નિરાકરણ નહીં આવે તો 9 ડિસેમ્બરની બેઠક બાદ નવી રણનીતિ બનાવીશું.’ આમ ખેડૂતોએ સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે જો ઝડપથી હલ નહીં નીકળે તો નવી રણનીતિ સાથે આંદોલન ચલાવવામાં આવશે.
पूरे देश का किसान एक साथ है और देश के किसानों ने आपस में तालमेल कर लिया है, 13 राज्यों से समर्थन आ चुका है। सरकार को जल्दी इसका हल निकालना चाहिए, अगर जल्दी हल नहीं निकलता तो 9 दिसंबर की बैठक के बाद नई रणनीति बनेगी:सुखविंदर सिंह सभरा,किसान मज़दूर संघर्ष कमेटी पंजाब #FarmersProtest pic.twitter.com/d4cDFFnFSm
— ANI_HindiNews (@AHindinews) December 6, 2020
કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતો બુરાડીના નિરંકારી સમાગમ મેદાનમાં અડિંગો જમાવીને બેસી ગયા છે. એક આંદોલનકારી ખેડૂતનું કહેવું છે કે, ‘જ્યાં સુધી કાયદો પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ’
दिल्ली: कृषि कानूनों के खिलाफ किसान प्रदर्शनकारी बुराड़ी के निरंकारी समागम ग्राउंड में डटे हुए हैं। एक प्रदर्शनकारी ने कहा, “जब तक कानून वापस नहीं होते, तब तक हम नहीं जाएंगे।” #FarmersProtest pic.twitter.com/N6N4obgtJ1
— ANI_HindiNews (@AHindinews) December 6, 2020
દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો કહી રહ્યા છે કે, ‘સરકાર ખેડૂતોની માગ પર કામ નથી કરી રહી. બેઠક સતત થઈ રહી છે પરંતુ બેઠકમાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હી જવા આગેકૂચ કરી રહ્યા છે.’
कृषि कानूनों के खिलाफ दिल्ली-यूपी बॉर्डर पर विरोध प्रदर्शन कर रहे किसानों का कहना है कि सरकार किसानों की मांग पर काम नहीं कर रही है। एक प्रदर्शनकारी ने कहा, “बैठक लगातार हो रही है लेकिन बैठक में कोई कामयाबी नहीं मिल रही है। किसान बड़ी संख्या में दिल्ली के लिए कूच कर रहे हैं।” pic.twitter.com/rRdIKU3G5I
— ANI_HindiNews (@AHindinews) December 6, 2020
હાલ જે પ્રમાણે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે તે જોતા એટલું કહી શકાય કે કાયદો પરત લેવડાવવા ખેડૂતો સરકાર સાથે લડી લેવાના મુડમાં છે. ખેડૂતોને ચોતરફથી સમર્થન મળી રહ્યું છે. આંદોલન કરી રહેલા ખેડૂતો ટ્રેક્ટરની સાથે મહિનાઓ સુધી ચાલે તેટલું રાશન લઈને પહોંચ્યા છે. ઉપરાંત ગરમ જમવાનું પણ તેમના સુધી લોકો પહોંચાડી રહ્યા છે.
કેટલાક ખેડૂતો બીમાર હોવાની વાત સામે આવતા ડોક્ટર્સની ટીમો પણ ફ્રીમાં સારવાર આપવા માટે પહોંચી છે. ઘણા વિદ્યાર્થીઓ પણ ખેડૂતોને ચા-નાસ્તો અને જમવાનું પિરસવા માટે સ્થળ પર પહોંચ્યા છે. સ્થળ પર ખેડૂતો માટે ધાબળાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને સમર્થન કરનાર એક્ટર-સિંગર દિલજીત દોસાંજે ખેડૂતો માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
જે રીતે ખેડૂતો તંબુ તાણીને આંદોલન કરી રહ્યા છે તે જોઈને કહી શકાય કે જો સરકાર કાયદો પરત નહીં ખેંચે તો લડાઈ લાંબી ચાલશે.
પાંચ-પાંચ બેઠક બાદ સરકારે પણ કાયદો પરત લેવાને લઈને કોઈ વાત સ્પષ્ટ નથી કરી. સરકાર પણ કાયદો ચાલુ રાખવા અડગ છે તો ખેડૂતો પણ હાર માનવા તૈયાર નથી. આમ સરકાર ખેડૂતોની વાત માનવા તૈયાર નથી સામે ખેડૂતો આસાનીથી હાર માનવા તૈયાર નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત